પરીક્ષામાં સવાલ પૂછાયો સચિન કંઈ રમતના ખેલાડી છે? જવાબમાં ક્રિકેટનો ઓપ્શન જ નહોતો

ગુજરાતમાં આયોજિત એક પરીક્ષાનું પ્રશ્ન પત્ર ગુજરાત સરકારની ફજેતીનું કારણ બની ગયું છે. પ્રશ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની રમત સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ક્રિકેટનો વિકલ્પ જ ન દેખાયો. સોશિયલ મીડિયા પર આ પ્રશ્ન પત્ર હવે વાયરલ થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના અધ્યક્ષ હિતેન્દ્ર પિથડિયાએ સોશિયલ મીડિયા પર પ્રશ્ન પત્ર શેર કર્યું છે, જેમાં ગુજરાતીમાં સચિન તેંદુલકર સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતાએ પ્રશ્ન પત્રને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરતા ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે ગુજરાતના શિક્ષણ મોડલને હવે આખા દેશમાં લાગૂ કરાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ પ્રશ્ન પત્ર ત્રીજા ધોરણનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પર્યાવરણ વિષયની આ પરીક્ષામાં પૂછવામાં આવ્યો કે, સચિન તેંદુલકર કઈ રમતનો ખેલાડી છે? પરીક્ષાર્થીઓને આપવામાં આવેલા વિકલ્પોમાં હોકી, કબડ્ડી, ફૂટબોલ અને ચેસના વિકલ્પ આપ્યા છે.

આ ટ્વીટ પર યુઝર્સ પોત પોતાના વિચારો રાખી રહ્યા છે. રવિ સાવંત નામના યુઝરે લખ્યું કે, આ કયો પર્યાવરણનો વિષય છે? પ્રતાપ સોલંકી નામના યુઝરે લખ્યું કે, હવે સવાલ એ પણ છે કે આજે પેપત્ર તો પર્યાવરણનું હતું, તો તેમાં આ રમતનો સવાલ ક્યાંથી આવી ગયો? અભણ લોકો સત્તામાં બેઠા છે તો એ તો થશે જ. જુનૈદ આલમ નામના યુઝરે લખ્યું કે, કોઈ કઈ નહીં બોલે, અભણ લોકો સત્તામાં બેઠા છે તો એ તો થશે જ. Zee 24 કલાક દ્વારા કરવામાં આવેલી ટ્વીટ પર કમેન્ટ કરતા મકવાણા નામના યુઝરે લખ્યુ કે, આવા લોકોને ઘરે ભેગા કરો.

મધુભાઇ નામના યુઝરે લખ્યું કે, નાક, કાન કે શરમ જેવું છે સરકારને, બધા ડાંડ ભેગા થયા હોય એમ લાગે છે. એક યુઝરે લખ્યું કે, પેપર ફોડી નોકરીએ લાગે પછી આવું જ થાય ને. બીજા એક યુઝરે લખ્યું કે, તેના ઉપરથી એક વાત સાબિત થાય કે પેપરની કોપી તપાસ કરવામાં આવતી નથી. બસ, ફોડવાવાળા જ બેઠા છે ત્યાં. જેમના મનમાં કેવી રીતે ખબર ના પડે તેમ ફોડવું તેજ વિચાર ચાલ્યા કરતું હશે. તમામને અમીર બની જવું છે મહેનત વગર.

સચિન તેંદુલકર ભારતના સૌથી મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેમણે પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંઆ 200 ટેસ્ટ, 463 અને 1 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં ક્રમશઃ 15,921, 21,367 અને 10 રન સામેલ છે. તેમના નામે કુલ 100 ઇન્ટરનેશનલ સદી છે. જેમાં ટેસ્ટમાં 51 અને વન-ડે ઇન્ટરનેશનલમાં 49 સદી સામેલ છે. તો તેમના નામે ટેસ્ટમાં 46 જ્યારે વન-ડેમાં 154 વિકેટ પણ નોંધાયેલી છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.