દેવબંદનું નવું ફરમાન, દારુલ ઉલૂમનો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી નહીં ભણે

ઇસ્લામિક શિક્ષણના વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર દારુલ ઉલૂમ દેવબંદે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ દારુલ ઉલૂમમાં શિક્ષણ મેળવતી વખતે અંગ્રેજી કે અન્ય શિક્ષણથી દૂર રહેવું પડશે, નહીં તો આવા વિદ્યાર્થીઓને સંસ્થામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. તેના પર ઉત્તર પ્રદેશ સરકારના જળ સંસાધન મંત્રી સ્વતંત્ર દેવ સિંહે ઉલેમાઓને સલાહ આપતા કહ્યું છે કે, દેશના મુસ્લિમ વિદ્યાર્થીઓ PM નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખે છે. તે લોકોના કહેવાથી ગેરમાર્ગે દોરાશે નહીં. તે ચોક્કસપણે અંગ્રેજીનું શિક્ષણ લેશે. સબકા સાથ સબકા વિકાસની નીતિને અનુસરીને PM નરેન્દ્ર મોદીજીએ દરેક વર્ગનો વિકાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. દેશની જનતાએ હમણાંથી જ PM નરેન્દ્ર મોદીજીને આગામી PM તરીકે સિલેક્ટ કરી લીધા છે.

વિદ્યાર્થીઓ માટે આ નવું ફરમાન બહાર પાડતી વખતે દારુલ ઉલૂમના શિક્ષણ વિભાગના પ્રભારી મૌલાના હુસૈન હરિદ્વારીએ જણાવ્યું હતું કે, દારુલ ઉલૂમમાં શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને અંગ્રેજી વગેરે જેવી અન્ય કોઈ શિક્ષણની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી આમાં સંડોવાયેલો જણાશે અથવા વિદ્યાર્થીની સંડોવણી છૂપી રીતે સામે આવશે તો આવા વિદ્યાર્થીને હાંકી કાઢવામાં આવશે. આ આદેશ એવા વિદ્યાર્થીઓ માટે મોટો ફટકો છે કે, જેઓ દારુલ ઉલૂમમાં ધાર્મિક શિક્ષણ લેવાની સાથે સાથે ખાનગી રીતે અંગ્રેજી બોલવાના અભ્યાસક્રમો અથવા આધુનિક શિક્ષણ સાથે સંબંધિત અન્ય વિષયોનો અભ્યાસ કરવા ઈચ્છે છે.

દારૂલ ઉલૂમ દ્વારા વિદ્યાર્થીઓના નામે બહાર પડાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો વિદ્યાર્થી વર્ગના સમયે રૂમમાં જોવા મળે છે. હાજરી નોંધાવ્યા પછી પીરિયડ પૂરો થાય તે પહેલા વર્ગ છોડી દેનાર અથવા માત્ર હાજરી પુરાવવા પૂરતા જ પીરિયડના અંતે વર્ગમાં આવનાર આવા વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દારુલ ઉલૂમ દેવબંદના માસ્ટર અને જમિયત ઉલમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ પણ આ મામલે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. મદનીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, મદરેસા અમારો ધર્મ છે, અમારી દુનિયા નથી. એટલા માટે તમે પહેલા સારા આલીમ-એ-દીન બનો અને પછી ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બનો, કારણ કે જે બે હોડીમાં સવાર થાય છે તે ક્યારેય પોતાની મંજિલ સુધી પહોંચી શકતો નથી. મદનીએ એમ પણ કહ્યું હતું કે, શિક્ષણ મેળવીને તમારું જીવન ઉજ્જવળ બનાવો.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સંસ્થામાં ચાલતા અભ્યાસ પર તેમનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે કહ્યું કે, દારુલ ઉલૂમ દેવબંધ અંગ્રેજી, કોમ્પ્યુટર કે આધુનિક શિક્ષણનો વિરોધ કરતું નથી, પરંતુ કાયદેસર રીતે સંસ્થાની અંદર આના માટે અલગ વિભાગો છે. જ્યાં વિદ્યાર્થીઓ આમાં એડમિશન લઈને શિક્ષણ મેળવે છે, પરંતુ બહાર કે પોતાની રીતે શિક્ષણ મેળવવાના કારણે વિદ્યાર્થીઓ દારુલ ઉલૂમ દેવબંદમાં એડમિશન લેવા માટે ભટકતા હોય છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલા માટે વિદ્યાર્થીઓએ જે શિક્ષણ માટે અહીં એડમિશન લીધું છે તે જ શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.