પહેલા અને બીજા ધોરણમાં નહીં મળશે હોમવર્ક, 5માં ધોરણ સુધી માત્ર 4 જ વિષયો ભણાવાશે

પ્રાઈવેટ સ્કૂલોની મનમાનીને કારણે બેગના બોજાના તળીયે દબાઈ રહેલા વિદ્યાર્થીઓના ખભા પરથી દફતરનો ભાર હળવો કરવા માટે શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. નવા સત્રની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સ્કૂલોમાં એડમિશન સહિત બુક્સની ખરીદદારી પણ શરૂ થઈ ગઈ છે. તે અગાઉ હવે શિક્ષણ વિભાગે સ્કૂલોમાં બાળકોને ભણાવાતા વિષયો પણ નક્કી કરી દીધા છે.

વિદ્યાર્થીઓના બેગનું વજન નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા વધુ હશે તો તેને માટે સ્કૂલ જવાબદાર ગણાશે. આ ઉપરાંત, કોઈપણ સ્કૂલ વધારાના વિષય શરૂ નહીં કરી શકશે. આ વિષયોની બુક્સ પણ NCRT, NCERTની જ હશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓને આ સંદર્ભમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. આ આદેશોને જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓએ સ્કૂલોમાં લાગુ કરાવવાનો રહેશે.

આ છે શિક્ષણ વિભાગનો નવો નિયમ

સ્કૂલોમાં જતા બાળકોના બેગનું વજન ઓછું કરવા માટે શિક્ષણ વિભાગે 10માં ધોરણ સુધીના ત્રણ માપદંડો નક્કી કર્યા છે. જેના પહેલા નિયમ અનુસાર, પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવશે નહીં. સ્કૂલમાં જ બાળકોને ભણાવવામાં આવશે. તેમજ પહેલા અને બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને માત્ર નક્કી કરવામાં આવેલા વિષયો જ ભણાવવામાં આવશે. જેમાં ભાષા અને ગણિત સામેલ હશે. આ ઉપરાંત, ત્રીજાથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભાષા, EVS અને ગણિત વિષય જ ભણાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલ કોઈપણ વધારાના વિષયો ભણાવી શકશે નહીં.

 

About The Author

Related Posts

Top News

બોલો પોલીસ સ્ટેશનમાંથી જપ્ત થયેલી 18 પૈડાવાળી ટ્રક જ ગાયબ થઈ ગઈ! સ્ટેશન ઇન્ચાર્જ કહે- 'મને કંઈ ખબર નથી'

બિહારના મુંગેરમાં પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા પર એક ઘટનાએ પ્રશ્નો ઉભા કર્યા છે. મુફફસિલ પોલીસ સ્ટેશન પરિસરમાંથી એક ઓવરલોડેડ 18...
National 
બોલો પોલીસ સ્ટેશનમાંથી જપ્ત થયેલી 18 પૈડાવાળી ટ્રક જ ગાયબ થઈ ગઈ! સ્ટેશન ઇન્ચાર્જ કહે- 'મને કંઈ ખબર નથી'

ઝારખંડ વિધાનસભા ઘેરાવ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ભાજપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા

ઝારખંડના રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગડબડના વિરોધમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા હતા. ત્યાં જ ધરણા શરૂ...
National 
ઝારખંડ વિધાનસભા ઘેરાવ: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, ભાજપના નેતાઓ પણ વિરોધમાં જોડાયા

બીમારી એવી છે કે 5 વર્ષથી તળાવમાં જિંદગી વિતાવવા મજબૂર 16 વર્ષીય ઇકબાલ, ભયાનક છે કહાની

એક તરફ દુનિયા આધુનિક ચિકિત્સા અને ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાંથી...
National 
બીમારી એવી છે કે 5 વર્ષથી તળાવમાં જિંદગી વિતાવવા મજબૂર 16 વર્ષીય ઇકબાલ, ભયાનક છે કહાની

સુરતની 22 વર્ષની વન્યાએ ફિનલેન્ડમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, વિશ્વની ટોચની મ્યુઝિક એકેડમીમાં મળ્યું એડમિશન

Gen Zની ઓળખ સામાન્ય રીતે સોશિયલ મીડિયા, ડિજિટલ દુનિયા અને નવી ટેક્નોલોજી સાથે જોડાય છે. પરંતુ સુરતની 22 વર્ષની વન્યા...
Education 
સુરતની 22 વર્ષની વન્યાએ ફિનલેન્ડમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, વિશ્વની ટોચની મ્યુઝિક એકેડમીમાં મળ્યું એડમિશન
Copyright (c) Khabarchhe All Rights Reserved.