હિન્દીમાં હતું બર્થ સર્ટિફિકેટ, સુરતની શાળાએ એડમિશન આપવાની ના પાડી દીધી

દેશમાં હિંદીના વિસ્તારની વાતો કહેવામાં આવી રહી છે. સરકાર મેડિકલથી લઇને એન્જિનિયરિંગનો અભ્યાસ સુધી હિન્દીમાં કરાવવાની વાત કહેવામાં આવી રહી છે એ છતા સુરતથી એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. અહીં એક છોકરીને શાળામાં એડમિશન એટલે ન આપવામાં આવ્યું કેમ કે, તેનું બર્થ સર્ટિફિકેટ હિન્દીમાં હતું. રિપોર્ટ્સ મુજબ સ્કૂલનું નામ પાંડેસરમાં સ્થિત મેરી માતા સ્કૂલ છે. સ્કૂલના ફાધરનું કહેવું છે કે, હિન્દી અને ગુજરાતીમાં બર્થ સર્ટિફિકેટ લઇને આવવા પર એડમિશન આપવામાં નહીં આવે.

હવે આ મામલે નવો વિવાદ ઊભો થઇ ગયો છે કેમ કે, વાલીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સ્કૂલ સંચાલકે આ ઘટનાને લઇને કહ્યું કે, નિયમ બદલવામાં નહીં આવે. તો વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. એ સિવાય તેમણે કહ્યું કે, શિક્ષણ વિભાગને પણ ફરિયાદ કરીશું. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દાને લઇને કાર્યવાહી કરવા સાથે જ વિદ્યાર્થીને એડમિશન અપાવવાની વાત કહી છે.

પાંડેસરાના પ્રમુખ પાર્ક સ્થિત મેરી માતા સ્કૂલમાં ધર્મેન્દ્ર પાંડે પોતાની દીકરી સોનાલી પાંડેને કે.જી.માં પ્રવેશ અપાવવા માટે ગયો હતો. રિપોર્ટ્સ મુજબ, શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે હિન્દીમાં આપેલા જન્મ પ્રમાણપત્રને જોઇને તેને ફોર્મ આપવાની ના પાડી દીધી. તેને કહેવામાં આવ્યું કે, જન્મ પ્રમાણપત્ર અંગ્રેજીમાં બનાવીને લાવો ત્યારે જ પ્રવેશપત્ર બનાવીને જમા કરી દઇશું, પરંતુ શાળાએ ફોર્મ આપવાની ના પાડતા તેને શાળામાંથી બહાર કાઢી દેવામાં આવ્યો.

ના પાડવા સાથે જ શાળાના ફાધરે ન માત્ર સ્પષ્ટ રૂપે કહ્યું કે તેમના નિયમ જ પાળવા પડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઇ પણ નિયમને માનતા નથી અને આ શાળાના નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનું પાલન કર્યા વિના શાળામાં બાળકોને એડમિશન આપવામાં નહીં આવે.એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હિમાંશુ બારોટે કહ્યું કે, બર્થ સર્ટિફિકેટ કોઇ પણ ભાષામાં હોય પ્રવેશ આપવો પડશે. જો અમારી પાસે એવી કોઇ ફરિયાદ આવી છે તો અમે શાળાની તપાસ કરીશું અને બાળકને પ્રવેશ અપાવવામાં આવશે.

નિયમ મુજબ, હિન્દી ભાષાના કોઇ પણ પ્રમાણપત્રને અસ્વીકાર નહીં કરી શકાય અને અંગ્રેજી ભાષા અનિવાર્ય નથી. શાળામાં દીકરીનું બર્થ સર્ટિફિકેટ અંગ્રેજીમાં બનાવીને લાવવા કહેવામાં આવ્યું છે. પિતા ધર્મેન્દ્ર પાંડેએ કહ્યું કે, જ્યારે મેં કહ્યું કે થોડા દિવસ બાદ અગ્રેજીમાં સર્ટિફિકેટ આપી દઇશું કેમ કે તેના માટે ઉત્તર પ્રદેશ જવું પડશે, પરંતુ શાળાના ફાધર મારી વાત માનવા તૈયાર નથી. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે, શાળાને પણ લીગલ નોટિસ મોકલીશુ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.