પરીક્ષામાં જય રામજી અને વિરાટ કોહલી લખનાર વિદ્યાર્થી પાસ, 2 પ્રોફેસર સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં 2 પ્રોફેસરોએ એવા વિદ્યાર્થીઓને પાસ કરી દીધા , જેમણે ઉત્તરવહીમાં જય રામજી અથવા ક્રિક્રેટર્સના નામ લખ્યા હોય. એક વિદ્યાર્થીએ RTI કરી ત્યારે આખો મામલો બહાર આવ્યો છે અને બંને પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. RTI કરનાર વિદ્યાર્થીએ પ્રોફેસરો પર પૈસા ખાવાનો આરોપ લગાવ્યો છે. આવા પ્રોફેસરો હોય તો પછી શિક્ષણનું સ્તર ક્યાંથી ઉંચુ આવે.

પરીક્ષામાં શું આવે છે? તમે જે વિષયનો અભ્યાસ કર્યો છે તેના કેટલાક પ્રશ્નો. તેમને જવાબ આપવાનો હોય.તમને પાસ અથવા ફેલ જાહેર કરવામાં આવે છે. પણ ક્યારેક તમને ‘કંઈ પણ’ લખવા માટે માર્કસ પણ મળે છે. જેવું ઉત્તર પ્રદેશમાં થયું છે. રાજ્યની એક યુનિવર્સિટીમાં કથિત રીતે 'જય રામ જી' અને ક્રિકેટરોના નામ લખવા બદલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએઆ મામલે કાર્યવાહી કરી છે અને બે પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા છે.

મીડિયા અહેવાલો મુજબ આ કિસ્સો જૌનપુરની વીર બહાદુર સિંહ પૂર્વાચંલ યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દિવ્યાંશુ સિંહ નામના વિદ્યાર્થીએ 3 ઓગસ્ટ 2023ના દિવસે RTI દાખલ કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે ફાર્મસીનો અભ્યાસ કરતા પ્રથમ વર્ષના 18 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે. દિવ્યાંશુએ આ વિદ્યાર્થીઓના રોલ નંબર પણ આપ્યા હતા.

દિવ્યાંશુંએ આરોપ લગાવ્યો હતો કે યુનિવર્સિટીના 2 પ્રોફેસરો વિનય વર્મા અને આશીષ ગુપ્તાએ વિદ્યાર્થીઓને પાસ કરવાના પૈસા લીધા છે. આ બાબતે દિવ્યાંશુએ રાજ્યના ગર્વનર પાસે પુરાવા રજૂ કર્યા હતા.

દિવ્યાંશુંએ રજૂ કરેલાં પુરાવામાં કહ્યું છે કે, ‘જય રામજી’ જેવા નારા અને રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ક્રિક્રેટરોના નામ લખનારા ઉમેદવારોને માર્ક્સ આપી દેવામાં આવ્યા હતા.

દિવ્યાંશુની ફરિયાદના આધારે રાજભવને તાત્કાલિક પગલાં લીધા અને 12 ડિસેમ્બર 2023ના રોજ તપાસનો આદેશ આપ્યો. જેના જવાબમાં યુનિવર્સિટી મેનેજમેન્ટે પણ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસમાં ગેરરીતિઓ બહાર આવી હતી.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વંદના સિંહે જણાવ્યું હતું કે તેમણે ખોટું મૂલ્યાંકન કરવા બદલ બે પ્રોફેસરોને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ અંગેની માહિતી રાજભવનને પણ મોકલવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, પ્રોફેસર વિનય વર્મા અગાઉ પણ આવા આરોપોનો સામનો કરી ચૂક્યા છે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.