ફરાહ હુસૈન જે માત્ર 26 વર્ષની ઉંમરે બની IAS, પરિવારમાં 14 અધિકારી છે

પોતાના પર અતૂટ વિશ્વાસ જ પોતે અપાર સફળતા અપાવી શકે છે. એવું જ કંઇક કરી દેખાડ્યું છે, ઝુઝુનુના મુસ્લિમ પરિવારમાં જન્મેલી ફરાહ હુસૈને. મુસ્લિમ પરિવારોમાં છોકરીઓને વધારે ભણાવવામાં આવતી નથી અને નાની ઉંમરમાં જ લગ્ન પણ કરાવી દેવામાં આવે છે, પરંતુ ફરહાના પરિવારે તેનો પૂરો સાથ આપ્યો. એ જ સાથની મદદથી ફરાહે માત્ર 26 વર્ષની ઉંમરમાં વર્ષ 2016માં દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા UPSC પાસ કરીને 267મો રેન્ક હાંસલ કર્યો.

ફરાહનો જન્મ ઝુઝુનુના નુઆં ગામમાં થયો હતો. તે બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. તેમના પિતા અશફાક હુસેન દૌસાના જિલ્લા કલેક્ટર હતા. તેમના મોટા ભાઇ રાજસ્થાન હાઇ કોર્ટમાં વકીલ છે. તેમના કાકા પોલીસ અધિકારી હતા. તેમના પરિવારના 14 કરતા પણ વધારે સભ્ય પ્રશાસનિક સેવામાં છે. રાજસ્થાનથી જ પ્રાથમિક શિક્ષણ બાદ ફરાહે મુંબઇમાં જઇને લૉનો અભ્યાસ કર્યો. લૉ કર્યા બાદ ફરાહે પ્રશાસનિક સેવામાં જવાનું મન બનાવી લીધું અને તૈયારીમાં લાગી ગઇ.

તેના માટે એક મહિનો કોચિંગ પણ કરી, પરંતુ તેને આ સમયની બરબાદી લાગી અને પોતે જ તૈયારીઓમાં લાગી ગઇ. રોજ 10-15 કલાકની તૈયારીની મદદથી જ ફરાહ હુસૈને વર્ષ 2016માં 267મો રેન્ક હાંસલ કર્યો. તેની સાથે જ ફરાહ રાજસ્થાનની બીજી મુસ્લિમ IAS બની ગઇ. કોચિંગ વિના UPSC પરીક્ષા પાસ કરીને ફરાહે લાખો યુવાઓ સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે. સાથે જ એ પળ તેમના પિતા માટે પણ ખૂબ જ ગૌરવની રહી. ફરાહના પરિવારમાં 3-3 IAS, 1 IPS અને 5 RAS છે. સાથે જ એક RPSના બરાબરની સેવામાં પણ છે.

આ પરિવારના સભ્ય પ્રશાસનિક સેવામાં:

લિયાકત અલી: IPS, રિટાયર્ડ.

અશફાક હુસૈન: IAS.

જાકીર હુસૈન: IAS.

શાહીન ખાન: RAS.

સલીમ ખાન: RAS.

કમરૂલ જમાલા ખાન: IAS

સના સદ્દિકી (RAS સલીમની પત્ની).

મોનિકા જાવેદ: RAS.

તો ઉત્તર પ્રદેશમાં લલિતપુર જિલ્લાના 26 વર્ષીય પ્રખર જૈન સતભૈયા IAS માટે સિલેક્ટ થયા છે. તેમણે UPSCની પરીક્ષા વર્ષ 2020માં દેશમાં 90મો રેન્ક હાંસલ કર્યો છે. ખાસ વાત એ છે કે તેમના દ્વારા લોકડાઉનના કારણે કોઇ કોચિંગ ન કરી અને ઘર પર જ પુસ્તકો અને ગુગલના માધ્યમથી 8-9 કલાકનું વાંચન કર્યું.

પ્રખર લલિતપુર શહેરથી પહેલા વ્યક્તિ બન્યા છે જે ડાયરેક્ટ IAS બન્યા છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવનારા  છત્રસાલપુરાના રહેવાસી રાકેશ જૈનનો પુત્ર 26 વર્ષીય પ્રખર જૈન UPSC 2020માં 90મો રેન્ક હાંસલ કરીને IAS બન્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.