'3 ઇડિયટ્સ'ના લાઇબ્રેરિયન અભિનેતા અખિલ મિશ્રા બિલ્ડીંગ પરથી પડતા મૃત્યુ

PC: todaynewsindia.com

મનોરંજન ઉદ્યોગમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયનની ભૂમિકાથી પ્રખ્યાત થયેલા અભિનેતા અખિલ મિશ્રાનું અકસ્માતમાં નિધન થયું છે. તે હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યો હતો. ત્યાં એક ઈમારત પરથી પડી જતાં તેનું મોત થયું હતું. મિત્ર અને એક્ટિંગ કોચ કુલવિંદર બક્ષીએ અખિલના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.

અખિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અખિલે ઘણા TV શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ભંવર, ઉત્તરણ, ઉડાન, CID, શ્રીમાન શ્રીમતી, ભારત એક ખોજ, રજની જેવા શો કર્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો, અભિનેતાએ ડોન અબ્બા, હજારોં ખ્વાશીં ઐસી, 3 ઈડિયટ્સમાં કામ કર્યું હતું. અખિલે વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું, પરંતુ તેને 3 ઈડિયટ્સમાં લાઈબ્રેરિયન દુબેની ભૂમિકાથી ઓળખ મળી. ઉત્તરન સિરિયલમાં ઉમેદ સિંહ બુડેલાના રોલમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

અખિલની પત્ની સુઝેન બર્નેટ પણ વ્યવસાયે અભિનેત્રી છે. પતિના અવસાન પછી તે એકદમ તૂટી ગઈ છે. અખિલની પહેલી પત્નીનું નામ મંજુ મિશ્રા હતું. 1983માં લગ્ન પછી બંનેએ 1997માં છૂટાછેડા લીધા હતા. મંજુથી અલગ થયા બાદ સુઝેન અખિલના જીવનમાં આવી. અખિલે 2009માં સુઝેન બર્નેટ સાથે લગ્ન કર્યા હતા. આ તેમના બીજા લગ્ન હતા.

પતિ-પત્નીએ સાથે મળીને પ્રોજેક્ટ પણ કર્યા હતા. તેણે ફિલ્મ કર્મ, ટીવી શો 'મેરા દિલ દિવાના', શોર્ટ ફિલ્મ 'મજનૂ કી જુલિયટ'માં સ્ટેજ શેર કર્યું હતું. સુઝેન ઘણી ભાષાઓની ફિલ્મો અને શોમાં કામ કરે છે. તે કસૌટી ઝિંદગી કી, સાવધાન ઈન્ડિયા, એક હજારો મેં મેરી બેહના હૈ, ચક્રવર્તી અશોક સમ્રાટ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, જેવી સિરિયલોમાં જોવા મળી છે. સુઝેને સ્ક્રીન પર ઘણી વખત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી છે.

અખિલ એક્ટિંગ કોચ પણ હતો. એક સમયે તેણે તેની જર્મન પત્ની સુઝાન બર્નેટને શુદ્ધ હિન્દી શીખવવા માટે તેની કારકિર્દીને રોકી દીધી હતી. આ વાતનો ખુલાસો સુઝેને એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કેવી રીતે TV શો ચક્રવર્તી અશોક સમ્રાટ કરતી વખતે ફ્લુઅન્સીને લઈને સમસ્યા આવી હતી. પછી તેના પતિ અખિલે તેનો પૂરો સમય તેના માટે કાઢ્યો. પોતાની કારકિર્દી પર બ્રેક લગાવીને તે દરરોજ સુઝેનને હિન્દી શીખવતો હતો.

અખિલના આ રીતે ચાલી જવાથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીને ઘણો આઘાત લાગ્યો છે. ભલે આજે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ તેઓ તેમના શાનદાર કામ માટે હંમેશા યાદ રહેશે. અભિનેતાના નિધનના સમાચાર જાણીને ચાહકો દુઃખી છે. દરેક વ્યક્તિ આંખોમાં આંસુ સાથે અખિલ મિશ્રાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. RIP અખિલ મિશ્રા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp