‘આદિપુરુષ’ની આ 8 મોટી ભૂલો, શું ડૂબાડી દેશે ફિલ્મને?

ઓમ રાઉતની ‘આદિપુરુષ’ આખરે થિયેટર સુધી પહોંચી ગઈ છે. ફિલ્મને લઇને જે આશાઓ હતી તેના પર મેકર્સ ખરા નથી ઉતરી શક્યા. ભગવાન રામની કથાની સાથે મેકર્સે જે એક્સપરીમેન્ટ્સ કર્યા છે એ લોકોને પસંદ ના આવ્યા. આથી, દર્શક તેની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. દર્શકોએ ફિલ્મ જોઈ તેમા એવી ખામીઓ શોધી કાઢી છે, જેના પર કદાચ મેકર્સે ધ્યાન જ નથી આપ્યું.

મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મે લઇને જબરદસ્ત બઝ હતો. પરંતુ, ફિલ્મ પાસે જે આશાઓ હતી, તેના પર નિર્દેશક ઓમ રાઉત ખરા નથી ઉતર્યા. ફિલ્મના VFXની તો લાંબા સમયથી ટીકા થઈ રહી હતી. હવે ફિલ્મ આવ્યા બાદ લોકો વધુ ગુસ્સે થયા છે. ભગવાન રામની કથાની સાથે મેકર્સે જે એક્સપરિમેન્ટ કર્યા છે તે લોકોને પસંદ નથી આવ્યા. તમે પણ જાણી લો તેના વિશે.

VFX આ ફિલ્મની યુએસપી બતાવવામાં આવી. પરંતુ, દર્શકોને આ VFX જરા પણ પસંદ ના આવ્યા. ઘણા દર્શક તેના VFX વર્કની ખૂબ જ ટીકા કરી રહ્યા છે.

માતા સીતા વનવાસ ગયા તો તેમણે શું ધારણ કર્યું હતું. તે રામાનંદ સાગરની રામાયણ જોઈને હવે આ દાયકાના બાળકો પણ જાણી ગયા છે. પરંતુ, ફિલ્મ ‘આદિપુરુષ’માં માતા સીતાની સાડીનો રંગ સફેદ બતાવવામાં આવ્યો છે, જે લોકોની નારાજગીનું કારણ બની.

નાના બાળકો પણ જાણે છે કે, રાવણની લંકા સોનાની હતી. પરંતુ, ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં સોનાની લંકાને કાળા કલરની બતાવવા પર મેકર્સ પર દર્શકો નારાજ થયા છે.

રાવણ સીતા માતાનું અપહરણ કરી તેમને પુષ્પક વિમાન દ્વારા લંકા લઈ જાય છે. ગ્રંથોમાં તો એવુ જ છે. પરંતુ, ‘આદિપુરુષ’માં રાવણ સીતા માતાને પુષ્પક વિમાનમાં નહીં પરંતુ, એક કાળા કલરના ચામરચીડિયા જેવા દેખાતા રાક્ષસી પક્ષીની સવારી કરાવીને લઈ જાય છે. આ સીન જોઈને પણ લોકો દ્વારા ‘આદિપુરુષ’ને ટ્રોલ કરવામાં આવી છે.

ફિલ્મમાં ભગવાન રામના ભાઈ, લક્ષ્મણની દાઢી અને રાવણની હેરસ્ટાઇલ પર પણ લોકોનો ગુસ્સો ફુટી નીકળ્યો છે. લોકો કહી રહ્યા છે કે, આ તો મજાક બનાવી દીધુ.

હનુમાન લંકા પહોંચ્યા તો સીતા માતાને પ્રણામ કરવાને બદલે તેઓ છાતી પર હાથ મુકીને સલામ કરતા દેખાય છે. તેમજ, પાછા જતી વખતે જ્યારે સીતા માતા તેમને ઓળખ તરીકે નિશાની આપે છે તે ચૂડામણિને બદલે કડુ આપે છે.

આ ફિલ્મમાં ખૂબ જ ખરાબ ડાયલોગ્સ છે, જે રામાયણની ભાષાને અનુરૂપ પણ નથી. હનુમાનજીને ઇન્દ્રજીત પકડીને રાવણની પાસે લઈ જાય છે, ત્યારે રાવણ પોતાના દીકરાને કહે છે- કોઈ ઔર કામ ધંધા નહીં હૈ જો બંદર પકડ રહે હો. કામ ધંધા... આ ભાષા ત્રેતા યુગમાં બોલાતી હતી? તેમજ રાવણના રાક્ષસ, હનુમાનજીને કહે છે- યે તેરી બુઆ કા બગીચા થોડી હૈ. તેમજ હનુમાનજી પણ રામને કહે છે- જો બહનો કો હાથ લગાએગા ઉસકી લંકા લગા દેંગે. હનુમાનજીના આ ડાયલોગ્સને લઇને પણ ટીકાઓ થઈ રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.