રામ ચરણ-ઉપાસનાની પુત્રીને નામકરણ પર મળી ખાસ ભેટ, આ પારણામાં છે અનેક ગુણ

રામ ચરણ અને ઉપાસનાની દીકરીનો જન્મ થયાને હજુ ફક્ત 11 દિવસ જ થયા છે અને તે પહેલાથી જ સમાચારોમાં છવાઈ ગઈ છે. નવા સ્ટાર કિડનું વિશ્વભરના ચાહકો, પરિવાર અને મિત્રો તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બાળકીના નામકરણની વિધિ 30 જૂને રાખવામાં આવી છે અને દરેકની નજર તેના પર છે. ઉપાસનાએ આ સ્પેશિયલ સેરેમનીની ઝલક પણ બતાવી છે અને તેની દીકરીને કઈ ખાસ ગિફ્ટ મળી છે તે પણ જણાવ્યું છે.

સ્ટાર પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર નામકરણ સમારોહની ઉજવણીની એક ઝલક આપી હતી. ઉપાસના કામીનેનીના ઘરે ભવ્ય શણગાર સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમારોહમાં સમગ્ર પરિવારે ભાગ લીધો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફંક્શનમાં ઘણી મોટી સેલિબ્રિટીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ઘણી મશહૂર હસ્તીઓ કપલ અને તેમની દીકરીને આશીર્વાદ આપવા પહોંચી શકે એમ છે.

ઉપાસનાની દીકરીને પણ ભેટ તરીકે ખાસ પારણું પણ મળ્યું છે. આની એક ઝલક આપતાં, તેણે તેને ઇન્સ્ટા પર શેર કર્યું, 'પ્રજ્વાલા ફાઉન્ડેશનની યુવતીઓ તરફથી આ ભેટ મેળવીને અમે સન્માનિત અને નમ્રતા મહેસુસ કરીએ છીએ. સૌથી વધુ પ્રિય હાથથી બનાવેલ આ પારણું એ શક્તિ અને આશાનું પ્રતીક છે. તે તેને એક અલગ સફર પર લઈ જશે, જે મારી બાળકી જન્મથી જ સમજે છે.'

રામ ચરણ અને ઉપાસનાએ 20 જૂને તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. દાદા-દાદીથી લઈને કાકાઓ સુધી, ચિરંજીવીથી લઈને અલ્લુ અર્જુન સુધી, ઘણા લોકોએ હોસ્પિટલની મુલાકાત લીધી અને બાળકીનો જન્મ થતાં જ તેને આશીર્વાદ આપ્યા. પોતાની પૌત્રીને મેગા પ્રિન્સેસ કહેનારા મેગાસ્ટાર ચિરંજીવીએ પૌત્રીના જન્મ પર મીડિયા સાથે વાત કરી અને કહ્યું હતું કે, 'અમારા જીવનની તમામ સારી ક્ષણોને જોતા, મને એવું લાગે છે કે આ બાળકી જે સકારાત્મકતા લાવી રહી છે તેના કારણે છે. અમારો પરિવાર ભગવાન હનુમાનની પૂજા કરે છે. મંગળવાર તેમનો દિવસ છે, અને અમે આભારી છીએ કે બાળકનો જન્મ આ શુભ દિવસે થયો હતો.'

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.