આમિર ખાને સાઉથનો રસ્તો કર્યો, ‘RRR’ અને ‘KGF’ના દિગ્ગજો સાથે મિલાવ્યા હાથ

બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાનને મોટો ઝાટકો લાગ્યો હતો, જ્યારે તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી કારણ કે, આ ફિલ્મથી ફક્ત મેકર્સ જ નહીં, પણ આમિર ખાનને પોતાને પણ ઘણી આશા હતી, જેના પર ફિલ્મ ખરી ન ઉતરી. ગયા વર્ષે 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આમિર ખાનની આ ફિલ્મનું બજેટ લગભગ 180 કરોડ રૂપિયા હતું, પણ તેની અમુક કમાણી તેના બજેટને ટચ કરવામાં સફળ ન થઇ શકી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન ફક્ત 145 કરોડ રૂપિયાની આસપાસ જ રહ્યું છે.

એવામાં આમિર ખાને ગયા વર્ષે જ પોતાના એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, તે હવે ફિલ્મોમાંથી બ્રેક લેવા માગે છે અને પોતાના પરિવારની સાથે થોડો સમય વિતાવવા માગે છે, પણ જે કલાકારે પોતાનું આખુ જીવન ફિલ્મોને નામ જ કર્યું હોય, તે ઘરે આરામથી કઇ રીતે બેસી શકે.

હવે ખબરો આવી રહી છે કે, આમિર ખાન નવા વર્ષમાં બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરવા જઇ રહ્યો છે. તેના માટે તેણે એક જોરદાર પ્લાન બનાવ્યો છે. આમિર ખાને સાઉથના બે દિગ્ગજો સાથે હાથ મિલાવ્યો છે, જે રીતે શાહરૂખ ખાને ફિલ્મ 'જવાન' માટે એટલી કુમાર સાથે હાથ મિલાવ્યો છે. અહીં શાહરૂખ ખાનનું નસીબ પણ દાંવ પર લાગ્યું છે, કારણ કે, ફિલ્મ 'જવાન'થી તેને ઘણી આશા છે.

ન્યુઝ એજન્સી અનુસાર, ‘KGF’ના ચેપ્ટર 1 અને 2ના નિર્દેશક પ્રશાંત નીલે પોતાની ફિલ્મ માટે જૂનિયર NTRની સાથે બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનને લેવાની યોજના બનાવી છે. તેના નજીકના સૂત્રોએ આ જાણકારી આપી છે. પ્રશાંત નીલ અને જૂનિયર NTR પહેલેથી જ પોતાના પ્રોજેક્ટની ઘોષણા કરી ચૂક્યા છે. ટીમ જૂનિયર NTRના વિપરિત ભૂમિકા માટે આમિર ખાન પર વિચારી રહ્યા છે. આ પરિયોજના આગામી વર્ષે શરૂ થવાની સંભાવના છે.

વર્તમાનમાં, પ્રશાંત નીલ બાહુબલી ફેમ પ્રભાસ અભિનિત સાલારમાં વ્યસ્ત છે. સૂત્રોનું કહેવું છે કે, હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનના કામમાં લાગ્યા છે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ પ્રશાંત નીલ અને જૂનિયર NTR પોતાના જાયન્ટ વેન્ચરની ઘોષણા કરશે. નીલના નજીકના સૂત્રોએ આ ખબરની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે, ફિલ્મ પ્રમુખ અખિલ ભારતીય રીલિઝ થવા જઇ રહી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.