દેવ ડીના શૂટિંગમા અભય એકલો 5 સ્ટાર હોટેલમાં રહેતો, અનુરાગના આરોપો પર દેઓલનો જવાબ

બોલિવુડ એક્ટર અભય દેઓલ હાલના દિવસોમાં પોતાની અપકમિંગ સીરિઝ ‘ટ્રાયલ બાય ફાયર’ને લઇને લાઇમલાઇટમાં છે. એક્ટર હાલમાં પોતાની સીરિઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે અભય દેઓલે પોતાના પર લગભગ અઢી વર્ષ અગાઉ અનુરાગ કશ્યપ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર મૌન તોડ્યું છે. એટલું જ નહીં, આ મામલાને લઇને અભય દેઓલે અનુરાગ કશ્યપને ખોટા અને ટોક્સિક વ્યક્તિ કહી દીધા છે.

શું છે આખો મામલો?

વર્ષ 2020માં પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનુરાગ કશ્યપે અભય દેઓલ પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેણે એક્ટર બાબતે વાત કરતા કહ્યું હતું કે, ‘તેની સાથે કામ કરવાનું દર્દનાક રૂપે  ખૂબ જ મુશ્કેલ છે. અભય દેઓલ સાથે મારી કામ કરવાની યાદો સારી નથી. ફિલ્મ ‘દેવ ડી’ના સેટ પર તેનું વર્તન સારું નહોતું. અભય દેઓલ આર્ટિસ્ટિક ફિલ્મો સિવાય મેનસ્ટ્રીમ ફિલ્મો પણ કરવા માગતો હતો. દેઓલ હોવાના કારણે તે દરેક પ્રકારની સુવિધાઓ અને લક્ઝરી પણ ઇચ્છતો હતો.’

ડિરેક્ટર અનુરાગ કશ્યપે કહ્યું હતું કે, ‘તે એકમાત્ર એવો હતો જે ફિલ્મની શૂટ દરમિયાન ફાઇવ સ્ટાર હૉટલમાં રહેતો હતો. જ્યારે આખો ક્રૂ પહાડગંજમાં રહેતો હતો, જેથી ટાઇટ બજેટમાં ફિલ્મને શૂટ કરી શકે. આ જ કારણ છે કે આજે ઘણા ડિરેક્ટર તેનાથી દૂરી બનાવી ચૂક્યા છે.’ બીજી તરફ લગભગ અઢી વર્ષ બાદ અભય દેઓલે ફિલ્મ મેકરના આ જ આરોપોનો જવાબ આપ્યો છે. આ બાબતને લઇને બોલિવુડ હંગામા સાથે થયેલી એક વાતચીત દરમિયાન પોતાની સફાઇ આપતા એક્ટર અભય દેઓલે કહ્યું કે, ‘અનુરાગ કશ્યપે પબ્લિક વચ્ચે જઇને મારી બાબતે ખૂબ જુઠ્ઠાણું બોલ્યા છે.

તેણે આગળ કહ્યું કે, મેં ફાઇવ સ્ટાર હૉટલની ડિમાન્ડ કરી નહોતી, પરંતુ તેઓ પોતે મારી પાસે આવ્યા હતા અને તેમણે જ મને કહ્યું કે, હું તેમની સાથે નહીં રહી શકું કેમ કે હું દેઓલ ફેમિલીથી આવું છું. મેં આજ સુધી આ બાબતે કોઇ વાત એટલે ન કરી કેમ કે જિંદગી ખૂબ નાની છે અને એક્સપ્લોર કરવા માટે ઘણું બધુ છે, એવામાં હું પોતાની લાઇફમાં કોઇ ટોક્સિક વ્યક્તિને નથી ઇચ્છતો. અનુરાગ કશ્યપ ખૂબ જુઠ્ઠા અને ટોક્સિક વ્યક્તિ છે અને હું એવા લોકોથી દૂર રહેવાની સલાહ આપવા માગીશ.’

અભય દેઓલે આગળ જણાવ્યું કે, ‘પોતાના આ નિવેદન બાદ ડિરેક્ટરે પોતે તેની પાસે માફી માગી હતી. એક્ટરે કહ્યું કે, અનુરાગ કશ્યપે મને ઘણું બધુ શીખવ્યું છે. તેને જોઇને મેં એવા ઝેરી લોકોથી દૂર રહેવાનો નિર્ણય લીધો જે પોતાને ફિલ્મ મેકર કહે છે, પરંતુ હકીકતમાં ખોટા અને ટોક્સિક વ્યક્તિ હોય છે. મેં ઘણા લોકોને તેની બાબતે ચેતવ્યા છે, આ બધી ફાલતુ વાતો કહ્યા બાદ અનુરાગ કશ્યપે સોરીવાળો મેસેજ પણ મોકલ્યો હતો અને હું માની પણ ગયો. એક્ટરે કહ્યું કે, તે ફિલ્મ મેકર વિરુદ્ધ કોઇ પણ પ્રોફેશનલ એજન્ડા રાખવા માગતો નથી. આ જ કારણ છે કે તેણે ક્યારેય આ બાબતે કોઇ સાથે વાત કરી નથી, ન પબ્લિકમાં આ બાબતે કંઇ કહ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.