સુશાંત સિંહ રાજપૂતનું જે ઘરમાં થયું હતું મોત, તેને આ એક્ટ્રેસે ખરીદ્યું

અદા શર્માએ બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટને ખરીદી લીધો છે. આ ઘરને લઈને ઘણા પ્રકારના સમાચાર આવી રહ્યા હતા કે કેટલાક લોકો ઘર ખરીદવા માગે છે. સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રામાં સ્થિત આ ફ્લેટમાં વર્ષ 2020માં અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારથી આ ઘર લાઇમલાઇટ બનેલું છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બાદ જ અદા શર્મા ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મે વિવાદોમાં રહ્યા બાદ પણ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું. ‘ધ કેરળ સ્ટોરી’માં એક્ટ્રેસની ભૂમિકાએ લોકોનું દિલ જીતી લીધું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, માઉન્ટ બ્લાંક નામની આ ઇમારત, જેમાં સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. એ ઘરને ‘ધ કેરળ સ્ટોરી’ની લીડ એક્ટ્રેસ અદા શર્માએ ખરીદી લીધું છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે તે આ ઘરમાં શિફ્ટ ક્યારે થશે. એક્ટરનો આ ફ્લેટ તેના મોત બાદ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે આ ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આ અપાર્ટમેન્ટ ખૂબ વધારે ડીમાન્ડમાં હતો, જેના કારણે ઘરનું ભાડું વધારી દેવામાં આવ્યું હતું. અંતે હવે આ ડીલ અદા શર્માને હાથ લાગી ગઈ છે અને તેણે આ ફ્લેટ ખરીદી લીધો.

14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું શબ પોતાના ફ્લેટ પર ફાંસીના ફંદા પર લટકેલું મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2021માં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનું C ફેન્સિંગવાળું ઘર ભાડા પર હતું. એક્ટર આ બે માળના ઘર માટે દર મહિને 4.5 લાખ રૂપિયાનું ભાડું આપતો હતો. કેટલાક સમય અગાઉ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, સુશાંતના ફ્લેટ માટે ભાડૂત શોધવા મુશ્કેલ થઈ રહ્યા છે કેમ કે તે એ જ અપાર્ટમેન્ટ હતો, જ્યાં તેનું નિધન થયું હતું.

અદા શર્માની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. એ સિવાય અદા શર્માની વેબ સીરિઝ ‘કમાન્ડો’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 11 ઑગસ્ટના રોજ સ્ટ્રીમ કરવામાં આવી. અદા શર્મા જલદી જ શ્રેયસ તલપડે સાથે ‘ધ ગેમ ઓફ ગિરગિટ’ ફિલ્મમાં નજરે પડશે. અદા શર્માએ હાલમાં જ X (પહેલા ટ્વીટર) પર પોતાના ફેન્સને અપડેટ આપ્યું હતું કે, તેણે શું સાઇન કર્યું છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘ધ કેરળ સ્ટોરી બાદ મારી આગામી ફિલ્મ બાબતે જાહેરાત કરવા બાબતે પૂછનારા બધા લોકો માટે જલદી જ તેની જાહેરાત કરીશ (ગયા અઠવાડિયે જ રોમાંચક વસ્તુ સાઇન કરી હતી અને તમે એ રોલને પસંદ કરવાના છો).’

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.