આદિપુરુષના ડિરેક્ટરની જૂની ટ્વીટ વાયરલ, લખેલું- ‘શું હનુમાન બહેરા હતા?’

આદિપુરુષ જ્યારથી અનાઉન્સ થઈ છે, તેની આસપાસ કોઈક ને કોઈક વિવાદ ફરી રહ્યો છે. જ્યારે ટીઝર આવ્યું, તેના VFXની નિંદા થઈ, જે અત્યારે પણ થઈ રહી છે. રામના ચામડાના શૂઝ પહેરવા પર આપત્તિ દર્શાવવામાં આવી. આવી ઘણી બાબત એ સમયે હતી. ફિલ્મનું ટ્રેલર આવ્યું. તો નેપાળમાં સીતાને ભારતની દીકરી કહેવા પર આપત્તિ દર્શાવવામાં આવી. કહેવામાં આવ્યું કે, ફિલ્મ રીલિઝ થવા નહીં દઈએ. હવે જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે તો તેના ડાયલોગ્સ સહિત તમામ બાબતે નિંદા થઈ રહી છે.

ડિરેક્ટર ઓમ રાઉત આ સમયે સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમાં તેમણે હનુમાનજી માટે કંઈક કહ્યું હતું. જો કે, હવે આ ટ્વીટ તેમણે હટાવી દીધી છે. તેમની ટ્વીટ હતી કે, શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા બિલ્ડિંગના આસપાસના લોકોને એવું જ લાગે છે? હનુમાન જયંતી પર ખૂબ તેજ મ્યૂઝિક વગાડી રહ્યા છે, મતલબ ખૂબ જ વધારે તેજ, ઉપરથી બધા અપ્રાસંગિક સોંગ.’ આ ટ્વીટ તેમણે વર્ષ 2015માં કરી હતી.

જ્યારે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો તેને ડીલિટ કરી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધી તેના સ્ક્રીનશૉટ ચાલવા લાગ્યા હતા. લોકોએ આ ટ્વીટને આર્કાઇવ કરી લીધી. આ ટ્વીટ સાથે જ તેમનો આદિપુરુષના પ્રમોશનથી એક વીડિયો પણ વાયરલ થયો. તેમાં તેઓ હનુમાન માટે એક સીટ છોડવાની વિનંતી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે. હું આપણાં બધા તરફથી ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સથી એક નિવેદન કરું છું. તમે હનુમાનજી માટે એક સીટ દરેક થિયેટરમાં ખાલી છોડી દો. તેઓ રામાયણ જોવા આવશે.

એમ કહેતા કહેતા ઓમ રાઉત રડવા લાગે છે. પાસે ઊભા પ્રભાસ સહિત બીજા લોકો તેમને સંભાળે છે. તેના પર લોકો કહી રહ્યા છે ઓમ રાઉત માત્ર ડિરેક્ટર નહીં, પરંતુ એક્ટર પણ છે. ઓમ રાઉતે હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં આદિપુરુષની ટ્રોલિંગ પર સફાઇ પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘રામાયણ ખૂબ મોટો ગ્રંથ છે. તેને સમજવો કોઈ માટે પણ સંભવ નથી. જો તેઓ કહે છે કે રામાયણ સમજી ગયા, તેઓ મૂર્ખ છે કે પછી તેઓ ખોટું બોલી રહ્યા છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો રામાયણ આપણે ટીવી પર જોઈ છે. તેઓ ખૂબ વિસ્તરીત હતી. અમે જે ફિલ્મ બનાવી છે તેને રામાયણ નહીં કહી શકાય. આપણે આદિપુરુષ કહી રહ્યા છીએ. અમે માત્ર રામાયણનો એક હિસ્સો દેખાડવામાં આવ્યો છે, યુદ્ધ કાંડવાળી. આદિપુરુષમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, દેવાદત્ત નાગે, વત્સલ સેઠ અને સોનલ ચૌહાણ જેવા એક્ટર્સે કામ કર્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.