આદિપુરુષના ડિરેક્ટરની જૂની ટ્વીટ વાયરલ, લખેલું- ‘શું હનુમાન બહેરા હતા?’

આદિપુરુષ જ્યારથી અનાઉન્સ થઈ છે, તેની આસપાસ કોઈક ને કોઈક વિવાદ ફરી રહ્યો છે. જ્યારે ટીઝર આવ્યું, તેના VFXની નિંદા થઈ, જે અત્યારે પણ થઈ રહી છે. રામના ચામડાના શૂઝ પહેરવા પર આપત્તિ દર્શાવવામાં આવી. આવી ઘણી બાબત એ સમયે હતી. ફિલ્મનું ટ્રેલર આવ્યું. તો નેપાળમાં સીતાને ભારતની દીકરી કહેવા પર આપત્તિ દર્શાવવામાં આવી. કહેવામાં આવ્યું કે, ફિલ્મ રીલિઝ થવા નહીં દઈએ. હવે જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે તો તેના ડાયલોગ્સ સહિત તમામ બાબતે નિંદા થઈ રહી છે.

ડિરેક્ટર ઓમ રાઉત આ સમયે સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમાં તેમણે હનુમાનજી માટે કંઈક કહ્યું હતું. જો કે, હવે આ ટ્વીટ તેમણે હટાવી દીધી છે. તેમની ટ્વીટ હતી કે, શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા બિલ્ડિંગના આસપાસના લોકોને એવું જ લાગે છે? હનુમાન જયંતી પર ખૂબ તેજ મ્યૂઝિક વગાડી રહ્યા છે, મતલબ ખૂબ જ વધારે તેજ, ઉપરથી બધા અપ્રાસંગિક સોંગ.’ આ ટ્વીટ તેમણે વર્ષ 2015માં કરી હતી.

જ્યારે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો તેને ડીલિટ કરી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધી તેના સ્ક્રીનશૉટ ચાલવા લાગ્યા હતા. લોકોએ આ ટ્વીટને આર્કાઇવ કરી લીધી. આ ટ્વીટ સાથે જ તેમનો આદિપુરુષના પ્રમોશનથી એક વીડિયો પણ વાયરલ થયો. તેમાં તેઓ હનુમાન માટે એક સીટ છોડવાની વિનંતી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે. હું આપણાં બધા તરફથી ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સથી એક નિવેદન કરું છું. તમે હનુમાનજી માટે એક સીટ દરેક થિયેટરમાં ખાલી છોડી દો. તેઓ રામાયણ જોવા આવશે.

એમ કહેતા કહેતા ઓમ રાઉત રડવા લાગે છે. પાસે ઊભા પ્રભાસ સહિત બીજા લોકો તેમને સંભાળે છે. તેના પર લોકો કહી રહ્યા છે ઓમ રાઉત માત્ર ડિરેક્ટર નહીં, પરંતુ એક્ટર પણ છે. ઓમ રાઉતે હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં આદિપુરુષની ટ્રોલિંગ પર સફાઇ પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘રામાયણ ખૂબ મોટો ગ્રંથ છે. તેને સમજવો કોઈ માટે પણ સંભવ નથી. જો તેઓ કહે છે કે રામાયણ સમજી ગયા, તેઓ મૂર્ખ છે કે પછી તેઓ ખોટું બોલી રહ્યા છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો રામાયણ આપણે ટીવી પર જોઈ છે. તેઓ ખૂબ વિસ્તરીત હતી. અમે જે ફિલ્મ બનાવી છે તેને રામાયણ નહીં કહી શકાય. આપણે આદિપુરુષ કહી રહ્યા છીએ. અમે માત્ર રામાયણનો એક હિસ્સો દેખાડવામાં આવ્યો છે, યુદ્ધ કાંડવાળી. આદિપુરુષમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, દેવાદત્ત નાગે, વત્સલ સેઠ અને સોનલ ચૌહાણ જેવા એક્ટર્સે કામ કર્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.