આદિપુરુષના ડિરેક્ટરની જૂની ટ્વીટ વાયરલ, લખેલું- ‘શું હનુમાન બહેરા હતા?’

આદિપુરુષ જ્યારથી અનાઉન્સ થઈ છે, તેની આસપાસ કોઈક ને કોઈક વિવાદ ફરી રહ્યો છે. જ્યારે ટીઝર આવ્યું, તેના VFXની નિંદા થઈ, જે અત્યારે પણ થઈ રહી છે. રામના ચામડાના શૂઝ પહેરવા પર આપત્તિ દર્શાવવામાં આવી. આવી ઘણી બાબત એ સમયે હતી. ફિલ્મનું ટ્રેલર આવ્યું. તો નેપાળમાં સીતાને ભારતની દીકરી કહેવા પર આપત્તિ દર્શાવવામાં આવી. કહેવામાં આવ્યું કે, ફિલ્મ રીલિઝ થવા નહીં દઈએ. હવે જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે તો તેના ડાયલોગ્સ સહિત તમામ બાબતે નિંદા થઈ રહી છે.
ડિરેક્ટર ઓમ રાઉત આ સમયે સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમાં તેમણે હનુમાનજી માટે કંઈક કહ્યું હતું. જો કે, હવે આ ટ્વીટ તેમણે હટાવી દીધી છે. તેમની ટ્વીટ હતી કે, શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા બિલ્ડિંગના આસપાસના લોકોને એવું જ લાગે છે? હનુમાન જયંતી પર ખૂબ તેજ મ્યૂઝિક વગાડી રહ્યા છે, મતલબ ખૂબ જ વધારે તેજ, ઉપરથી બધા અપ્રાસંગિક સોંગ.’ આ ટ્વીટ તેમણે વર્ષ 2015માં કરી હતી.
Director of #Adipurush
— Abhishek (@AbhishekSay) June 17, 2023
He deleted the tweet. https://t.co/Cd8Ds0I9Dy pic.twitter.com/xiJoS7Ehpk
જ્યારે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો તેને ડીલિટ કરી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધી તેના સ્ક્રીનશૉટ ચાલવા લાગ્યા હતા. લોકોએ આ ટ્વીટને આર્કાઇવ કરી લીધી. આ ટ્વીટ સાથે જ તેમનો આદિપુરુષના પ્રમોશનથી એક વીડિયો પણ વાયરલ થયો. તેમાં તેઓ હનુમાન માટે એક સીટ છોડવાની વિનંતી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે. હું આપણાં બધા તરફથી ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સથી એક નિવેદન કરું છું. તમે હનુમાનજી માટે એક સીટ દરેક થિયેટરમાં ખાલી છોડી દો. તેઓ રામાયણ જોવા આવશે.
From saying Hanuman is deaf to booking a seat for him at every theatre in India, this opportunist has come long way. Waara actor you are @omraut pic.twitter.com/lzQYF3aZDY https://t.co/PW4m41mezN
— Dil Se❤️ (@SubhXBen) June 17, 2023
એમ કહેતા કહેતા ઓમ રાઉત રડવા લાગે છે. પાસે ઊભા પ્રભાસ સહિત બીજા લોકો તેમને સંભાળે છે. તેના પર લોકો કહી રહ્યા છે ઓમ રાઉત માત્ર ડિરેક્ટર નહીં, પરંતુ એક્ટર પણ છે. ઓમ રાઉતે હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં આદિપુરુષની ટ્રોલિંગ પર સફાઇ પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘રામાયણ ખૂબ મોટો ગ્રંથ છે. તેને સમજવો કોઈ માટે પણ સંભવ નથી. જો તેઓ કહે છે કે રામાયણ સમજી ગયા, તેઓ મૂર્ખ છે કે પછી તેઓ ખોટું બોલી રહ્યા છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો રામાયણ આપણે ટીવી પર જોઈ છે. તેઓ ખૂબ વિસ્તરીત હતી. અમે જે ફિલ્મ બનાવી છે તેને રામાયણ નહીં કહી શકાય. આપણે આદિપુરુષ કહી રહ્યા છીએ. અમે માત્ર રામાયણનો એક હિસ્સો દેખાડવામાં આવ્યો છે, યુદ્ધ કાંડવાળી. આદિપુરુષમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, દેવાદત્ત નાગે, વત્સલ સેઠ અને સોનલ ચૌહાણ જેવા એક્ટર્સે કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp