સલમાનનું નામ લેતા જ એશને આવ્યો ગુસ્સો, તો વિવેક ઓબેરોયને લઇને જુઓ શું કહ્યું?

આપણે બધા જાણીએ છીએ કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એક-બીજા સાથે રિલેશનશીપમાં હતા. જો કે, બંનેનું બ્રેકઅપ ખૂબ જ ખરાબ નોટ પર થયું અને આ જ કારણ છે કે ઐશ્વર્યા રાય સલમાન ખાનનું નામ પણ સાંભળવા માગતી નથી. એવું જ ત્યારે થયું, જ્યારે ઐશ્વર્યા રાય કરણ જોહરના ચેટ શૉ ‘કોફી વિથ કરણ’માં પહોંચી હતી. એ સમય સુધી ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનું બ્રેકઅપ થઇ ચૂક્યું હતું અને વિશ્વ સુંદરીની નજીકતા વિવેક ઓબેરોય સાથે વધી રહી હતી.

ખેર જેવું જ કરણ જોહરે સલમાન ખાનને લઇને સવાલ કર્યો તો ઐશ્વર્યા રાયે એવો જવાબ આપ્યો કે સલમાન ખાનના ફેન્સ પણ ફેરાન રહી જશે. શૉના હોસ્ટ કરણ જોહરે ઐશ્વર્યા રાયને પૂછ્યું કે, આ લોકોનું નામ સાંભળતા જ સૌથી પહેલા શું વિચારે છે? તેણે સૌથી પહેલા શાહરુખ ખાનનું નામ લીધું, જેને સાંભળતા જ ઐશ્વર્યા રાયે કહ્યું કે, આગામી સવાલ..’ ઐશ્વર્યા રાયનું રીએક્શન જોઇને કરણ જોહર પણ હેરાન હતો. તો જ્યારે કરણ જોહરે વિવેક ઓબેરોયનું નામ લીધું તો ઐશ્વર્યા રાયે મોડું કર્યા વિના કહ્યું કે, તે ખૂબ જ શાનદાર મિત્ર છે જેણે હંમેશાં સાથ આપ્યો.

સલમાન અને ઐશ્વર્યાના સંબંધ આ કારણે તૂટ્યા:

ઐશ્વર્યા રાય અને સલમાન ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર એક-બીજાની નજીક આવ્યા અને અહીથી જ બંનેના અફેરને લઇને ચર્ચાઓ શરૂ થવા લાગી હતી. જો કે, થોડા વર્ષો બાદ જ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું બ્રેકઅપ થઇ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાનનો વધારે ગુસ્સો કરવું ઐશ્વર્યા રાયને પરેશાન કરતું હતું. એટલું જ નહીં ઘણી વખત સલમાન ખાન ઐશ્વર્યા રાયના ફિલ્મોના સેટ પર જઇને પણ હોબાળો કરી ચૂક્યો હતો.

આ કારણે ઐશ્વર્યા રાયે આ સંબંધને સમાપ્ત કરવાનું જ યોગ્ય સમજ્યું. તો ઐશ્વર્યા રાયે ક્યારેય પણ વિવેક ઓબેરોય સાથે પોતાના સંબંધ બાબતે વાત કરી નથી, પરંતુ સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચે દુશ્મનીનું કારણ પણ ઐશ્વર્યા રાય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો ઐશ્વર્યા રાયના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે પોન્નિયિન સેલ્વન (PS-2)માં નજરે પડવાની છે, જેમાં ઐશ્વર્યા રાય રાણી નંદીનીની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ (PS-2) 28 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.