અક્ષય બોલ્યો- આ વસ્તુની જાહેરાત કરવી જિંદગીની સૌથી મોટી ભૂલ, કારણ પણ જણાવ્યું

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખેલાડી અક્ષય કુમારથી પણ જીવનમાં ભૂલો થઇ છે. જેમને તેઓ ખૂલીને અપનાવે છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અક્ષય કુમારે કરિયરમાં પોતાની આ ભૂલો પર વાત કરી, જેને લઇને તેને પોતાને રિયલાઇઝેશન થયું. આ કાર્યક્રમમાં અક્ષયે માત્ર એટલું જ નહીં, પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પર ખૂલીને વાત કરી. એન્કરે એક્ટરને કહ્યું કે, પુત્ર આરવ, પત્ની ટ્વિંકલના ફિલ્મ ક્રિટિક બનવાથી લઇને ફિલ્મો ફ્લોપ થવા સુધી, તમે જવાબ આપ્યો, પરંતુ હવે વાત કરીએ ભૂલોની.

તમે ક્યારેય પોતાના જીવનમાં ભૂલ કરી છે, જેને તમે વિચાર્યું કે આ મારાથી ભૂલ થઇ ગઇ અને તમે તેનો સ્વીકાર કર્યો હોય? સમય ગુમાવ્યા વિના અક્ષયને તે એલચીની એડ યાદ આવી જાય છે, જે તેણે એક પાન મસાલા કંપની માટે કરી હતી. તે કહે છે કે, હાં મેં ભૂલ કરી છે. મેં સ્વીકારી લીધું હતું. જેમાં મેં તે એલચીની એડ કરી હતી. તે મારાથી ભૂલ થઇ હતી. મેં સ્વીકાર કર્યો. એ રાત્રે મને ઊંઘ આવી રહી નહોતી તો મેં લખ્યું. પોતાના દિલની વાત લખી. મને લાગે છે કે દરેક વ્યક્તિ ભૂલ કરીને શીખે છે તો મેં શીખી લીધું હતું. મેં જ્યારે લખ્યું તો સુધરી ગયાની વાત હતી.

અક્ષય કુમારે જે માફીનામું ફેન્સ સાથે શેર કર્યું હતું, તેમાં તેણે લખ્યું હતું કે મને ઘણી ઑફર્સ આવે છે. મને ઘણી મોટી મોટી ગુટખા કંપનીની ઑફર્સ આવે છે કે, કરો અને અગણિત અમાઉન્ટ આપવા તૈયાર રહે છે, પરંતુ વાત તેની નથી. સ્વાસ્થ ભારત માટે હું આ કામ નહીં કરું. હું ખોટું કામ નહીં કરું. વર્ષ 2018માં આ વાત અક્ષયે જ કહી હતી કે તે સ્વસ્થ ભારત માટે ક્યારેય ગુટખાની એડને એન્ડોર્સ નહીં કરે. એવામાં અક્ષયને પોતાની જ વાતને ભૂલીને 4 વર્ષ બાદ તંબાકુ બ્રાન્ડને એન્ડોર્સ કરવું યુઝર્સને સમજ પડી રહી નહોતી.

લોકોએ એક્ટરને ખૂબ ટ્રોલ કર્યો હતો. ટ્રોલિંગની આ અસર હતી કે અક્ષયે પાન મસાલા કંપનીથી પોતાને દૂર કરી લીધો. તેને પોતાની ભૂલનો અનુભવ થઇ ગયો હતો. અક્ષય કુમારે આ ઇન્ટરવ્યૂમાં પોતાની સતત ફ્લોપ થઇ રહેલી ફિલ્મો બાબતે પણ વાત કરી અને કહ્યું કે, આ પ્રકારની વસ્તુ તેની સાથે પહેલી વખત થઇ રહી નથી. ઘણી વખત ઓડિયન્સ બદલી રહી હોય છે અને આપણે પોતાને ફરીથી ઝીરોથી રીક્રિએટ કરવા પડે છે, પબ્લિકનો ટેસ્ટ સમજવો પડે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.