અક્ષય કુમારે ફિલ્મો ફ્લોપ જઈ રહી છે તેના પર કહ્યું- જો ફિલ્મ નથી ચાલતી તો...

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર એક પછી એક ફિલ્મો આપી રહ્યો છે. ગત ત્રણ મહિનાઓમાં અક્ષય કુમારે બે ફ્લોપ આપી છે. આગળ તેની પાસે અન્ય 9 ફિલ્મો છે, જે હાલમાં લાઈનમાં છે. હાલમાં જ અક્ષય કુમારની એક ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે, આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અક્ષય કુમારે ગત ફ્લોપ ફિલ્મોની જવાબદારી પોતે જ લઇ લીધી.

કેમ થઇ રહી છે ફિલ્મો ફ્લોપ?

અક્ષય કુમારે મીડિયા ઈન્ટરેકશનમાં કહ્યું કે, ‘જો ફિલ્મ નથી ચાલતી, તો તેની જવાબદારી મારે લેવી જોઈએ અને હું લઉં પણ છું. હું મારી વસ્તુઓમાં બદલાવ કરીશ અને તેના પર ધ્યાન આપીશ કે, અંતે મને કેવી ફિલ્મો કરવી જોઈએ? મેં કેવી રીતની સ્ક્રીપ્ટ્સની પસંદગી કરવી જોઈએ? જેથી મારી ઓડિયન્સ મને પસંદ કરી શકે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મો સારું પરફોર્મ કરી શકે. કેમ કે હું વિચારૂ છું કે, જો હું કોઈ ફિલ્મ કરી રહ્યો છું, તેમાં હું લીડ રોલ પ્લે કરી રહ્યો છું, તો તેની પૂરી જવાબદારી મારા પર આવે છે.‘

OTT પ્લેટફોર્મ પર ફિલ્મો કેટલું પરફોર્મ કરી શકે છે, થિએટર્સથી વધારે? આ પ્રશ્નનો જવાબ આપતા અક્ષય કુમારે કહ્યું કે, બંને જગ્યાની ઓડિયન્સ અલગ છે. બંને જગ્યાએ લોકોને અધિકાર છે. એવું કહેવાનું કે, તેમને ફિલ્મ પસંદ આવી કે નહીં. OTT પર પણ તમારી ફિલ્મ જાય છે, રીલિઝ થાય છે, લોકો તેને જુએ છે, મીડિયા જુએ છે, ક્રિટીક્સ તે ફિલ્મને જુએ છે, તેઓ પોતાનું ઓપનીયન આપે છે કે, તેમને ફિલ્મ પસંદ આવી કે નહીં અને મારા માટે થિએટર અને OTT પ્લેટફોર્મ બંને જગ્યાના ફિલ્મ રીવ્યૂ મહત્વના છે. તમારે ફિલ્મમાં મહેનત કરવાની હોય છે અને માત્ર આ જ એક રીત છે, જ્યારે તમે એક્ટીવ રહી શકો છો. તમને લોકોનું ફિલ્મોને લઈને ટેસ્ટ પણ આ માધ્યમથી ખબર પડશે.

અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરવામાં આવે તો આમાં ‘જોલી LLB 3’, ‘કેપ્સૂલ ગિલ’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ગોરખા’, Soorarai Pottru ની હિન્દી રીમેક, ‘OMG 2’ અને ‘સેલ્ફી’ શામેલ છે. અત્યાર સુધી રીલિઝ થયેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રક્ષા બંધન’ બંને ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી છે, બંને ફિલ્મો અપેક્ષા પ્રમાણે કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. ઓડિયન્સને અક્ષય કુમારથી ઘણી બધી અપેક્ષાઓ છો, પણ લાગે છે કે, તેમની આશાઓ પર એક્ટર પાણી ફેરવતો જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.