રિવ્યૂ કમિટીને મોકલવામાં આવી 'OMG 2', સેન્સર બોર્ડને સીન્સ-ડાયલોગ્સ સામે વાંધો

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર જલદી જ ફિલ્મ ‘OMG 2'માં નજરે પડવાનો છે. ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થઈ ચૂક્યું છે. એક્ટર પંકજ ત્રિપાઠી સાથે મહત્ત્વની ભૂમિકામાં નજરે પડવાનો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, તે વિવાદોથી ઘેરાયેલી છે. અક્ષય, ભગવાન શિવના રૂપમાં નજરે પડી રહ્યો છે. એવામાં ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કેટલાક લોકોએ એક સીનને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, શિવનું રેલવેના પાણીથી રુદ્રાભિષેક કરવામાં આવ્યું છે.

હવે તેના પર લેટેસ્ટ અપડેટ આવી ગયું છે કે સેન્સર બોર્ડ દ્વારા અક્ષયની ફિલ્મ ‘OMG 2’ને પાછી રિવ્યૂ કમિટી પાસે મોકલી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં કેટલાક સીન્સ અને ડાયલોગ્સ આપત્તિજનક છે. જ્યારે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મ ‘આદિપુરુષ’ની કન્ટ્રોવર્સીને ધ્યાનમાં લઈને સેન્સર બોર્ડ અક્ષય કુમારની ફિલ્મ સાથે ખૂબ સતર્ક નજરે પડી રહ્યું છે. તે કોઈ પણ પ્રકારનો વિવાદ ફિલ્મ પર ઇચ્છતું નથી. એટલે ફરી રિવ્યૂ કમિટી પાસે મોકલવામાં આવી છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, ફિલ્મને રિવ્યૂ કમિટી પાસે એટલે મોકલવામાં આવી છે, જેથી ડાયલોગ્સ અને સીન્સ લઈને કોઈ વિવાદ ઊભો ન થાય. જે પ્રકારે ‘આદિપુરુષ’ને લઈને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, એ આ ફિલ્મથી ન થાય અને ફિલ્મનો વિષય ભગવાન સાથે જોડાયેલો હોય તો રિવ્યૂ હજુ ધ્યાનથી કરવાનું બને છે. જો કે અત્યાર સુધી ક્લિયર થયું નથી કે આખરે કયા સીન કે ડાયલોગ પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિવ્યૂ થયા બાદ જ્યારે ફિલ્મ પાછી સેન્સર બોર્ડ પાસે આવી જશે તો તેના પર આગામી નિર્ણય શું લેવામાં આવશે, એ જોવાનું રહ્યું.

વર્ષ 2012માં ઓહ માય ગોડ (OMG) આવી હતી અને ‘OMG 2’ તેની સિક્વલ છે, જેમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનો રોલ કર્યો હતો. પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કરવાના નાસ્તિક કાંજીલાલ મેહતાની ભૂમિકા ભજવી હતી. આ વખત અક્ષય, ભગવાન શિવના રૂપમાં નજરે પડવાનો છે. અરુણ ગોવિલ ફિલ્મમાં રામની ભૂમિકા ભજવશે. રામાનંદ સાગરની રામાયણના ફેમસ સ્ટાર અરુણને સ્કીન પર જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. ફિલ્મ  11 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. તેમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સાથે એક્ટ્રેસ યામી ગૌતમ લીડ રોલમાં નજરે પડવાની છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.