23 વર્ષની ઉંમરે સંન્યાસી બની એક્ટ્રેસ, બોલી- કોઈ હોતું નથી જ્યારે તમે રાત્રે..

'અનુપમા' સીરિયલમાં 'નંદિની'ની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ અનઘા અરવિંદ ભોંસલેએ શૉ છોડતા જ ટી.વી.ની દુનિયાને હંમેશાં અલવિદા કહી દીધી હતી. અનઘાએ આ નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ ક ર હતી. આ દરમિયાન એક્ટ્રેસે હવે 23 વર્ષની ઉંમરમાં જ જાહોજલાલીથી ભરેલી દુનિયાને અલવિદા કહી દીધી છે અને ભક્તિના માર્ગે ચાલી પડી છે. અનઘા છેલ્લી વખત અનુપમા સીરિયલમાં છેલ્લી વખત નજરે પડી હતી.

તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સમાચારોને સત્તાવાર કર્યા છે. નાનકડી ઉંમરમાં જ એક્ટ્રેસે સારું એવું નામ કમાઈ લીધું હતું. એવામાં અચાનક એક્ટિંગ કરિયરને અલવિદા કહેવું, તેના ફેન્સને શોક આપી ગયું છે. હાલના જ ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તે ખૂબ પહેલાથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ હતી, પરંતુ એક્ટિંગના કારણે પૂરતો સમય આપી શકતી નહોતી. એટલે તેણે એક્ટિંગ છોડી દીધી અને ભક્તિ-ભાવમાં જોડાવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે તેનું કારણ પણ બતાવ્યું છે.

અનઘાએ કહ્યું કે, કોઈ હોતું નથી જ્યારે તમે રાત્રે એકલા રડો છો. માત્ર કૃષ્ણ જ હોય છે જે તમારો હાથ જો એક વખત પકડી લીધો તો છોડતા નથી. મમ્મી-પપ્પા પણ થાકીને સૂઈ જાય છે. તમને ખબર નથી કે તમારી જિંદગી કેટલી લાંબી છે, એટલે એવા નિર્ણય જલદી જ લેવા જોઈએ. અનઘાએ કહ્યું કે, બધાને હેરાની જરૂર થઈ હતી, મારા નિર્ણયથી. મને અનુપમા સીરિયલ બાદ એક વધુ શૉની ઓફર આવી હતી, પરંતુ મેં માયાથી ઉપર કૃષ્ણને સિલેક્ટ કર્યા છે. અનઘાએ જણાવ્યું કે, તે અત્યારે સંન્યાસી બની નથી, તે એક કૃષ્ણ ભક્ત છે. તે લગ્ન કરવા માગે છે, પરંતુ માત્ર તેની સાથે જે તેની જેમ જ કૃષ્ણભક્ત હોય.

અનઘાએ ટી.વી. ઇન્ડસ્ટ્રીને છોડતા પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘હરે કૃષ્ણ ફેમિલી. મને ખબર છે કે તમે લોકો મારા પ્રત્યે દયાળુ છો અને શૉ છોડ્યા બાદ કંનર્સ શૉ કરી રહ્યા છે. તમારા બધાનો તેના માટે આભાર. જો તમે નથી જાણતા તો હું તમને કહી દઉં કે મેં સત્તાવાર ફિલ્મ અને ટી.વી. ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. હું તમારા બધા પાસે એવી આશા રાખું છું કે, તમે લોકો મારા આ નિર્ણયનું સન્માન કરશો. મેં આ નિર્ણય ધર્મના માર્ગે ચાલવા માટે લીધો છે. મને ખબર છે કે તમે લોકો પોતાના કર્મ કરતા રહેશો. મને ખબર છે કે, તમે લોકો એ બધી પરિસ્થિતિઓ અને લોકોથી દૂર રહેશો જે ભગવાન કૃષ્ણથી તમને દૂર રાખવાનો પ્રયાસ કરશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.