'ગદર-2'ને ઓસ્કરમાં મોકલવાની અમે કોશિશ કરી રહ્યા છીએ, આ ફિલ્મ ડિઝર્વ કરે છે

ગદર-2 ફિલ્મે દેશમાં ઘણી કમાણી કરી. પણ અમુક તબકાના લોકોને આ ફિલ્મ જરા પણ પસંદ આવી નથી. ફિલ્મની પોલિટિક્સ ભલે કેવી પણ હોય, જોકે એ વાત નકારી ન શકાય કે ભારતના લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. ફિલ્મના નિર્માતા અનિલ શર્મા હવે મોટો પ્લાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે આ ફિલ્મને ઓસ્કર એવોર્ડ્સમાં મોકલવાની કોશિશ કરશે.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે થયેલી વાતચીતમાં અનિલ શર્માએ કહ્યું કે, લોકો તેમને સતત ફોન કરી રહ્યા છે અને ફિલ્મને ઓસ્કરમાં મોકલવાની વાત કરી રહ્યા છે. લોકોની વાત અલગ છે. પણ શું ખરેખર તે આ ફિલ્મને ઓસ્કરમાં મોકલવાના છે. આ સવાલ પર અનિલ શર્માએ કહ્યું કે, ગદર-એક પ્રેમકથા ઓસ્કર્સમાં જઇ શકી નહોતી. એટલે મને નથી ખબર કે ગદર-2 કઇ રીતે જશે. પણ અમે કોશિશ કરી રહ્યા છે. આ ફિલ્મ ડિઝર્વ કરે છે. ફિલ્મની પહેલી સિક્વલ પણ ડિસર્વ કરતી હતી. ગદર વર્ષ 1947ના વિભાજન પર આધારિત હતી. અમે તે ફિલ્મની સ્ટોરીને અલગ રીતે મોટા પરદા પર દર્શાવી હતી. ગદર-2 પણ નવી અને ઓરિજનલ સ્ટોરી છે.

ફિલ્મના ડિરેક્ટરના મતે તે આટલા વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. છતાં તેમને એવોર્ડ્સ મળ્યા નથી. તેમનું કહેવું છે કે, એવું લાગે છે કે મેં કોઇ કામ જ નથી કર્યું. મને નથી ખબર કે એવોર્ડ્સ પેનલમાં કોણ બેસે છે પણ તેઓ અમને એવોર્ડ્સ જ નથી આપતા. મને યાદ છે કે, ધરમજીએ એકવાર કહ્યું હતું કે, તેઓ એવોર્ડ્સ શો માટે નવા સૂટ પહેરતા હતા, એ આશા સાથે કે તેમને એવોર્ડ્સ મળશે. પણ તેમને ક્યારેય એવોર્ડ્સ મળ્યા નહોતા. તેઓ કહેતા કે, મને લાગે છે કે હું આ ઈન્ડસ્ટ્રીનો ભાગ જ નથી. અમારી સાથે પણ આવું જ થયું છે.

અનિલ શર્માએ કહ્યું કે, મને ખબર પડી છે કે એવોર્ડ્સ શોમાં લોબિઈંગ અને PRની જરૂર પડે છે. હું કોઇ પોલિટિકલ વ્યક્તિ નથી. માટે મેં ક્યારેય એવોર્ડ્સ માટે લોબિઇંગ કરી નથી. હું પાછલા 40 વર્ષોથી ફિલ્મો બનાવી રહ્યો છું. તે પછી સારી હોય કે ખરાબ. પણ તે દિલથી ફિલ્મો બનાવે છે. મને ખુશી થાય છે જ્યારે દર્શકો મારી ફિલ્મ પર પ્રેમ વર્ષાવે છે.

ગદર-2ને ભલે ક્રિટિક્સ તરફથી સારા રિવ્યૂ ન મળ્યા હોય. પણ દર્શકોનો પ્રેમ ભારે માત્રામાં મળ્યો છે. પઠાણ ફિલ્મ બાદ 2023માં ગદર-2 સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. અનિલ શર્મા હવે બે નવી ફિલ્મો પર કામ શરૂ કરવાના છે. પહેલી ફિલ્મ તે નાના પાટેકર અને ઉત્કરષ શર્માને લઇ બનાવવાના છે. તો બીજી ફિલ્મ છે અપને-2. આ ફિલ્મમાં તે ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કરન દેઓલને સાથે લાવવાના છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.