અનુપમ ખેરે અમદાવાદના 300 વર્ષ જૂના હનુમાન મંદિરમાં દર્શન કરી કહ્યું- સુખદ અનુભવ

On

પોતાના દમદાર અભિનય અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતા બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેતા એક મંદિરમાં જોવા મળે છે. હકિકતમાં,આ કેમ્પ હનુમાન મંદિર અમદાવાદમાં છે, જે 300 વર્ષ જૂનું છે. અનુપમે પણ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

ખેરના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક્ટર સફેદ શર્ટ સાથે જીન્સમાં જોવા મળી રહ્યા છે. અભિનેતાએ તેમના ગળામાં 'જય શ્રી રામ' નામનો ખેસ પણ પહેર્યો છે. તેમજ વીડિયોમાં કલાકાર પૂજા કરતા જોવા મળે છે. ચાહકો તેમના આ વીડિયોને પસંદ કરીને પ્રસંશા કરી રહ્યા છે. શેર કરવામાં આવેલી વીડિયોમાં હનુમાનજીની દિવ્ય પ્રતિમાની ઝલક પણ જોવા મળી રહી છે.

આ વીડિયો શેર કરીને અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, ગઈકાલે અમદાવાદના 300 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના દર્શન કર્યા હતા. અહીં પૂજા કરીને મનને સુખદ અનુભવ મળ્યો અને શક્તિ પણ મળી. તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના પણ કરી. સાથે તેમણે લખ્યુ, જય હનુમાન, જય બજરંગ બલીની જય, પવનસુત હનુમાનની જય.

વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. શ્રી કેમ્પ હનુમાન મંદિરને દેશના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક માનવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.

અનુપમ ખેરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા હાલમાં તેમની આગામી નિર્દેશિત ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ સાથે તે લગભગ બે દાયકા પછી દિગ્દર્શનની દુનિયામાં પરત ફરી રહ્યા છે. દિગ્દર્શક તરીકે અનુપમની પહેલી ફિલ્મ ‘ઓમ જય જગદીશ’ હતી, જમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને ફરદીન ખાન નજરે પડ્યા હતા. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે અને ખાસ પળોને ચાહકો સાથે શેર કરે છે.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati