આદિપુરુષ અંગે રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામ બનનારા અરુણ ગોવિલે જાણો શું કહ્યું

'આદિપુરુષ'ની રીલિઝ બાદ રામાયણના રામ ફરી એકવાર ચર્ચામાં છે. દર્શકોનું માનવું છે કે અરુણ ગોવિલનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. રામાનંદ સાગરની રામાયણ જોનારા લોકોના મનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનની જે છબી છે તે આદિપુરુષમાં જોવા મળી ન હતી.ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે તેઓએ આજના યુગને અનુરૂપ 'આદિપુરુષ' તૈયાર કરી છે. જેથી સરળ ભાષામાં તેને જોઇ શકાય અનૈ સમજી શકાય.

જો કે મેકર્સની આ વાતની દર્શકો પર કોઇ અસર જોવા નથી મળી રહી. લોકો ‘આદિપુરષ’નો જબરદસ્ત વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. ફિલ્મના મેકર્સ પર હનુમાનના પાત્રને પણ ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે આ ફિલ્મમાં ભગવાન રામને પણ મજાક બનાવી દેવામાં આવ્યા છે. જો કે ફિલ્મના લેખક મનોજ મંતશીરે પોતાની સ્પષ્ટતામાં ઘણી વાત કરી છે.

હવે રામાયણ સિરિયલના રામની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અરૂણ ગોવિલનું પણ આદિપુરષ ફિલ્મને લઇને નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણ ગોવિલને 'આદિપુરુષ' વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા. જ્યાં તેની વાત પરથી લાગી રહ્યું હતું કે તે ફિલ્મને લઈને ખૂબ જ નિરાશ છે. અરુણ ગોવિલના મતે આ વિશ્વાસનો મુદ્દો છે. રામાયણ એ બધા માટે આસ્થા છે. તેની સાથે છેડછાડ ન થવી જોઈએ. આધુનિકતા અને પૌરાણિક કથાઓની વાત રામાયણ પર ન થવી જોઈએ.

અરૂણ ગોવિલેનું કહેવું હતું કે VFX અને ઇફેક્ટસ એ વાત અલગ છે. પરંતુ કેરેકટરને યોગ્ય રીતે રજૂ કરવા જરૂરી છે. રામાયણના રામ અરૂણ ગોવિલે કહ્યું કે, જો આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી હોય, તો બાળકોને પણ પુછો કે શું તેમને આ ફિલ્મ પસંદ આવી છે?  ગોવિલે કહ્યું કે ફિલ્મમાં જે પ્રમાણેની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી ભાષા મને પસંદ નથી.

આદિપુરુષ શુક્રવારે ભારતના સિનેમાઘરોમાં રજૂ થઇ ત્યારથી દર્શકો બે ભાગમાં વ્હેંચાઇ ગયા છે. કેટલાંકને ફિલ્મ પસંદ આવી તો ઘણા લોકોએ નારાજગી વ્યકત કરી છે. જો કે ફિલ્મે પહેલાં દિવસે જ બમ્પર રેકોર્ડ કમાણી કરીને ફિલ્મ ઉદ્યોગમાં પહેલાં દિવસની કમાણીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.