આદિપુરુષ અંગે રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામ બનનારા અરુણ ગોવિલે જાણો શું કહ્યું

'આદિપુરુષ'ની રીલિઝ બાદ રામાયણના રામ ફરી એકવાર ચર્ચામાં છે. દર્શકોનું માનવું છે કે અરુણ ગોવિલનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. રામાનંદ સાગરની રામાયણ જોનારા લોકોના મનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનની જે છબી છે તે આદિપુરુષમાં જોવા મળી ન હતી.ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે તેઓએ આજના યુગને અનુરૂપ 'આદિપુરુષ' તૈયાર કરી છે. જેથી સરળ ભાષામાં તેને જોઇ શકાય અનૈ સમજી શકાય.

જો કે મેકર્સની આ વાતની દર્શકો પર કોઇ અસર જોવા નથી મળી રહી. લોકો ‘આદિપુરષ’નો જબરદસ્ત વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. ફિલ્મના મેકર્સ પર હનુમાનના પાત્રને પણ ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે આ ફિલ્મમાં ભગવાન રામને પણ મજાક બનાવી દેવામાં આવ્યા છે. જો કે ફિલ્મના લેખક મનોજ મંતશીરે પોતાની સ્પષ્ટતામાં ઘણી વાત કરી છે.

હવે રામાયણ સિરિયલના રામની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અરૂણ ગોવિલનું પણ આદિપુરષ ફિલ્મને લઇને નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણ ગોવિલને 'આદિપુરુષ' વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા. જ્યાં તેની વાત પરથી લાગી રહ્યું હતું કે તે ફિલ્મને લઈને ખૂબ જ નિરાશ છે. અરુણ ગોવિલના મતે આ વિશ્વાસનો મુદ્દો છે. રામાયણ એ બધા માટે આસ્થા છે. તેની સાથે છેડછાડ ન થવી જોઈએ. આધુનિકતા અને પૌરાણિક કથાઓની વાત રામાયણ પર ન થવી જોઈએ.

અરૂણ ગોવિલેનું કહેવું હતું કે VFX અને ઇફેક્ટસ એ વાત અલગ છે. પરંતુ કેરેકટરને યોગ્ય રીતે રજૂ કરવા જરૂરી છે. રામાયણના રામ અરૂણ ગોવિલે કહ્યું કે, જો આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી હોય, તો બાળકોને પણ પુછો કે શું તેમને આ ફિલ્મ પસંદ આવી છે?  ગોવિલે કહ્યું કે ફિલ્મમાં જે પ્રમાણેની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી ભાષા મને પસંદ નથી.

આદિપુરુષ શુક્રવારે ભારતના સિનેમાઘરોમાં રજૂ થઇ ત્યારથી દર્શકો બે ભાગમાં વ્હેંચાઇ ગયા છે. કેટલાંકને ફિલ્મ પસંદ આવી તો ઘણા લોકોએ નારાજગી વ્યકત કરી છે. જો કે ફિલ્મે પહેલાં દિવસે જ બમ્પર રેકોર્ડ કમાણી કરીને ફિલ્મ ઉદ્યોગમાં પહેલાં દિવસની કમાણીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.