આસારામનું ટ્રસ્ટ મનોજ વાજપેયીની ફિલ્મથી નારાજ, લીગલ નોટિસ મોકલી

મનોજ વાજપેયીની ‘બંદા’ નામની ફિલ્મ આવી રહી છે. 8મી મેના રોજ ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થયું છે. રીલિઝ પહેલા જ આ ફિલ્મ મુશ્કેલીમાં પડી ગઇ છે. ફિલ્મના મેકર્સ અને મનોજ વાજપેયીને આસારામ ટ્રસ્ટ તરફથી લીગલ નોટિસ મળી ગઇ છે. આસારામના વકીલે કોર્ટ પાસે માગ કરી છે કે, આ ફિલ્મની રીલિઝ અને તેની પ્રમોશનલ એક્ટિવીટિઝ પર જલ્દીથી જલ્દી રોક લગાવવામાં આવે.

‘બંદા’ની સ્ટોરી એક 16 વર્ષની છોકરી વિશે છે. જેને દેશના ચર્ચિત સાધુએ મોલેસ્ટ કરી છે. એ છોકરીને ન્યાય અપાવવા માટે પી સોલંકી નામનો વકીલ કેસ લડવા માટે તૈયાર થાય છે. કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. હવે આસારામ ટ્રસ્ટે આ ફિલ્મ વિરૂદ્ધ એક્શન લીધું છે. તેના વકીલનું કહેવું છે કે, આ ફિલ્મથી તેમના ક્લાયન્ટની છબિ ખરાબ થઇ રહી છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર આસિફ શેખને આ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ ફિલ્મ માટે રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે. તો જેણે જે પણ કહેવું હોય કે જે પણ વિચારવું હોય તે વિચારે.

આસિફે કહ્યું કે, હા અમને લીગલ નોટિસ મળી છે. હવે અમારા વકીલ નક્કી કરશે કે આગળ શું કરવાનું છે. અમે પી સી સોલંકીની બાયોપિક બનાવી છે. અમે આ સ્ટોરીના રાઇટ્સને ખરીદ્યા છે. હવે જો કોઇ એમ કહે કે આ તેની સ્ટોરી છે, તો હવે તેણે જે કહેવું હોય તે કહે અને જે વિચારવું હોય તે વિચારે. અમે એ લોકોને તો નથી રોકી શકતા. આ ફિલ્મ જ્યારે આવશે, તો આખું સત્ય ખબર પડી જશે.

મનોજ વાજપેયીની આ ફિલ્મ ન્યુ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવશે. ન્યુ યોર્કમાં થનારા ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયી પણ શામેલ થશે. ‘બંદા’માં મનોજ વાજપેયી સાથે જય હિંદ કુમાર, અદ્રિજા, નિખિલ પાંડે, પ્રિયંકા સેટિયા, વિપિન શર્મા અને સૂર્ય મોહન કુલશ્રેષ્ઠ જેવા એક્ટર્સે કામ કર્યું છે. અપૂર્વ સિંહે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. જે આ પહેલા સાસ, બહુ, અચાર પ્રાઇવેટ લિમિટેડ, ફ્લેમ્સ અને ધ આમ આદમી ફેમિલી જેવી સીરીઝ બનાવી ચૂક્યા છે. ફિલ્મ 23મી મેના રોજ ઝી5 પર રીલિઝ થશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.