સોશિયલ મીડિયા પર આટલા ફોલોઅર્સ થવા પર તમને પણ માનવામાં આવશે સેલિબ્રિટી

જો તમે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર છો અને તમારા 5 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે તો તમે કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. ASCI એટલે કે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, જે ઇન્ફ્લૂએન્સરના 5 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે અને વાર્ષિક આવક 40 લાખ કરતા વધુ હોય, તેમને એડવર્ટાઇઝમેન્ટ માટે સેલિબ્રિટી માનવામાં આવશે. ASCI એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીની એક સેલ્ફ રેગ્યૂલેટરી બોડી છે.

ASCIએ 10 ઑગસ્ટના રોજ કહ્યું કે, સેલિબ્રિટી કોણ છે અને તેની પરિભાષાને મોટી કરવામાં આવી છે અને તેના કોડનું પાલન કરવા જરૂરી છે. તેમણે કહ્યું કે, સેલિબ્રિટીઝને કોઈ બ્રાન્ડનું સમર્થન કરવા માટે સાઇન અપ કરવા અગાઉ ઘણી વાતોનું પાલન કરવાનું હોય છે અને ASCI દ્વારા બોલાવવા પર તેના પુરાવા પણ રજૂ કરવાના હોય છે અને બેન કરવામાં આવેલી વસ્તુઓનું વેચાણ કરવાનું નથી.

કેમ બનાવ્યા સેલિબ્રિટી?

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, ASCIએ કહ્યું કે, સેલિબ્રિટીની પરિભાષાને બનાવવી આવશ્યક થઈ ગઈ હતી કેમ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર્સએ મોટા પ્રમાણ પર પોતાની ચેનલ્સ ક્રિએટ કરી છે. સંખ્યા વધી છે અને એન્ફ્લૂએન્સર્સ લોકોને મોટી સંખ્યામાં પ્રભાવિત કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઐતિહાસિક રૂપે સેલિબ્રિટિઝ જે બ્રાન્ડ્સને ક્રેડિબિલિટી આપી શકે છે અને મોટી સંખ્યામાં લોકોને એનફ્લૂએન્સ કરી શકે છે. તેને મોટા પ્રમાણ પર પોપ્યુલર એક્ટર્સ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના રૂપમાં માનવામાં આવશે.

ASCIએ આગળ કહ્યું કે, આટલા નિયમ બનાવ્યા બાદ પણ તેને તોડવા ખૂબ સરળ છે. નાણાકીય વર્ષ 2022-23માં ASCI તરફથી સેલિબ્રિટીઝની 500 કરતા વધુ ભ્રામક એડ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. ASCIના ચીફ એક્ઝિક્યૂટિવ મનીષા કપૂરે કહ્યું કે, આપણી પાસે ઘણી પર્સનાલિટીઝ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ અને પોપ્યુલર છે અને તેમનું કન્ઝ્યૂમર્સ સાથે એક કનેક્શન હોય છે. કન્ઝ્યૂમર તેમના પર ભરોસો કરે છે. ફેમસ પર્સનાલિટીઝ કન્ઝ્યુમર્સની પૈસા ખર્ચ કરવાની આદતોને પ્રભાવિત પણ કરે છે એટલે કન્ઝ્યૂમર્સની સુરક્ષા કરવી જરૂરી છે.

એન્ફ્લૂએન્સર કોણ હોય છે?

કોઈને પોતાની કોઈ કળા અને કન્ટેન્ટથી ઇન્ફ્લુએન્સ કે એન્ગેજ કરનાર લોકોને ઇન્ફ્લૂએન્સર કહેવામાં આવે છે. તેનાથી સોશિયલ મીડિયા પર તેમના કન્ટેન્ટની રીચ વધે છે. રીચ વધે છે, તો ફોલોઅર્સ વધે છે. બ્રાન્ડ્સ સાથે કામ મળે છે. ઇન્ફ્લૂએન્સર્સના ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, મોજ જેવા ઘણા પ્લેટફોર્મ પર અકાઉન્ટ હોય છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.