તારક મેહતાના એક્ટરનો ખુલાસો, આ બીમારીથી છે પીડિત,ખોટી સારવારથી બગડ્યું સ્વાસ્થ્ય

ઘણી વખત પરદા પર પોતાની એક્ટિંગથી લોકોને હસાવનારા ચહેરા પરેશાનીઓથી ઝઝૂમતા રહે છે. ‘ધ કપિલ શર્મા શૉ’ ફેમ અતુલ પરચૂરેને લઈને પણ શૉકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. પોતાના જોક્સથી આપણાં બધાના ચહેરાઓ પર હાસ્ય લાવનારા અતુલ અરચૂરે કેન્સરથી પીડિત છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતે વાતનો ખુલાસો કર્યો છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં અતુલે પોતાની બીમારી સાથે જોડાયેલો દુઃખદ કિસ્સો શેર કર્યો. તે બતાવે છે કે મારા લગ્નના 25 વર્ષ પૂર્ણ થયા હતા.

અમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં હતા. તો હું એકદમ સારો હતો, પરંતુ થોડા દિવસ બાદ મને ભોજન ખાવામાં પરેશાની થઈ રહી હતી. મને અનુભવ થયો કે કંઈક ગરબડ છે. તબિયત વધુ ખરાબ થઈ તો ભાઈને મેડિસિન લાવીને આપી, પરંતુ તેનાથી કોઈ ફાયદો ન થયો. હું ઘણા ડૉક્ટર્સ પાસે ગયો. ત્યારબાદ મારી અલ્ટ્રાસોનોગ્રાફી થઈ. આ દરમિયાન મને ડૉક્ટર્સની આંખોમાં ડર નજરે પડ્યો. ત્યારે મને અનુભવ થઈ રહ્યો હતો કે કંઈ સારું નથી. પછી મને ખબર પડી કે મારા લિવરમાં 5 સેન્ટિમીટર લાંબુ ટ્યૂમર છે અને તે કેન્સરગ્રસ્ત છે.

તેણે કહ્યું કે, મેં ડૉક્ટર્સને પુછ્યું કે હું સારો તો થઈ જઈશ ને? ડૉક્ટર્સે વિશ્વાસ અપાવ્યો કે આગળ બધુ સારું થશે, પરંતુ સારવારની મારા પર અસર થઈ અને સ્વાસ્થ્ય પહેલાથી વધુ બગડી ગયું. સર્જરીમાં પણ મોટું થઈ ગયું. તે બતાવે છે કે, યોગ્ય સમય પર બીમારીની જાણકારી મળી ગઈ હતી, પરંતુ સારવારની પહેલી પ્રોસિજર ખોટી થઈ. તેનાથી મારી પેનક્રિયાઝ અફેક્ટેડ થઈ હતી એટલે પરેશાની પણ વધી ગઈ હતી.

યોગ્ય સારવાર ન મળવાના કારણે મારી કન્ડિશન ખરાબ થઈ ચૂકી હતી. મારાથી ઢંગથી વાત થઈ શકતી નહોતી. વાત કરતા જીભ લડખડાતી હતી. ડૉક્ટર્સે કહ્યું કે, આ કન્ડિશનમાં મારે થોડી રાહ જોવી પડશે, જો અત્યારે સર્જરી થઈ તો પીલિયા થવાનો ડર છે. મારા લિવરમાં પાણી ભરાવાના કારણે મારું મોત થઈ શકે છે. ત્યારબાદ મેં ડૉક્ટર બદલ્યો અને ઢંગથી પોતાની સારવાર કરાવી. અતુલ લોકપ્રિય મરાઠી એક્ટર છે જે લાંબા સમય સુધી ‘ધ કપિલ શર્મા શૉ’નો હિસ્સો રહ્યો છે.

તેણે કહ્યું કે, હું લાંબા સમયથી કપિલ શર્મા શૉ કરી રહ્યો છું. મને સુમોનાના પિતાની ભૂમિકા માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ કેન્સરના કારણે હું ન જઈ શક્યો. જો કેન્સર ન હોત તો હું પણ કપિલ સાથે ઇન્ટરનેશનલ ટ્રીપ પર હોત. રિપોર્ટ્સ આવવા પર ખબર પડશે કે હું પહેલાથી જેમ સારો થઈ શકીશ કે નહીં. 56 વર્ષીય અતુલ કોમેડી નાઇટ્સ વિથ કપિલ સિવાય ‘આર.કે. લક્ષ્મણ કી દુનિયા’, ‘જાગો મોહન પ્યારે ઔર ભાગો મોહન પ્યારે’ જેવા શૉઝ માટે જાણીતો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.