શાહરૂખની પઠાણ સામે ધ કશ્મીર ફાઇલ્સ ટકરાશે, વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત

બોલીવુડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સ ફરી એક વાર સિનેમાઘરોમાં લોકોને જોવા મળશે. ધ કશ્મીર ફાઇલ્સ 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટરમાં રીલિઝ થવા જઇ રહી છે. 11મી માર્ચ, 2022ના રોજ રીલિઝ થયેલી ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોના લિસ્ટમાં શુમાર થઇ ગઇ છે. ફિલ્મે બોક્સ ઓપિસ પર 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી. સિનેમાઘરોમાં હિટ થવાના એક વર્ષથી પણ ઓછા સમય બાદ ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થવા માટે તૈયાર છે.

વિવેક અગ્નીહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બુધવારે આ વાતની ઘોષણા કરતા કહ્યું કે, ધ કશ્મીર ફાઇલ્સને 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટર્સમાં રીલિઝ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવું પહેલી વખત છે કે, એક ફિલ્મ એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરીથી રીલિઝ થઇ રહી છે. વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, એ દિવસે કશ્મીરી હિંદુ નરસંહાર દિવસ છે. જો તમે બિગ સ્ક્રીન પર તેને જોવામાં ચૂકી ગયા છો તો ટિકિટ્સ અત્યારથી બુક કરાવી દો. તેની સાથે જ તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ ટ્વીટ કર્યું છે.

ધ કશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 1990ના દાયકામાં થયેલા કશ્મીર પલાયનના પીડિતોના વીડિયો અને તેમના ઇન્ટર્વ્યુ પર આધારિત હતી. તેમાં કશ્મીરી પંડિતોનો દર્દ, પીડા, સંઘર્ષ અને આઘાતને બતાવવામાં આવ્યો છે.

બોલીવુડના કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણને સિનેમાઘરોમાં આવવાના થોડા સમય પહેલા ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થઇ રહી છે. પઠાણના ફેન્સ રાહ જોઇ રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શાહરૂખ ખાનના ફેન્સ પોતાના ફેવરેટ સુપરસ્ટારને ચાર વર્ષ બાદ મોટી સ્ક્રીન પર જોવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન 2018ની ફિલ્મ ઝીરો બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પદુકોણ અને જોન એબ્રાહિમ પણ પ્રમુખ ભૂમિકામાં છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.