'ચક દે ઈન્ડિયા' અને 'લગાન' ફેઇમ અભિનેતા જાવેદ ખાનનું નિધન

બોલિવૂડ એક્ટર જાવેદ ખાનનું મંગળવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. જાવેદ ખાનને સાંતાક્રુઝના સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેના બંને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અભિનેતાના આજે સાંજે 6.30 કલાકે ઓશિવારા કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાવેદ ખાન 'લગાન' અને 'ચક દે ઈન્ડિયા' જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા છે.

જાવેદ ખાનના અવસાનથી બોલિવૂડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એ વાત કોઈ માની શકતું નથી. જાવેદ ખાન તેના દમદાર અભિનય માટે જાણીતા હતા. તેણે 'અંદાઝ અપના અપના', 'ઈશ્ક', 'હમ હૈ રાહી પ્યાર કે' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે આમિર ખાનની ફિલ્મ 'લગાન'માં રામ સિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જ્યારે 'હમ હૈ રાહી પ્યાર કે'માં તેણે છોટ્યાનું પાત્ર ભજવ્યું હતું. 'ચક દે ઈન્ડિયા'માં જાવેદ ખાનનું સુખલાલનું પાત્ર આજે પણ યાદ છે.

તેમના મૃત્યુની માહિતીની સાબિતી તેમના કો-સ્ટાર અખિલેન્દ્ર મિશ્રાએ એક પોર્ટલ પરથી કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જાવેદ ખાન લાંબા સમયથી સાંતાક્રુઝની સૂર્યા નરગીસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં બહુ પ્રતિભાશાળી અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

જાવેદ ખાને ફિલ્મોની સાથે સાથે TV ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી નામના મેળવી હતી. તે છેલ્લે સંજય દત્ત, આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટની ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ આવી ન હતી.

જાવેદ ખાન અમરોહીના કરિયરની વાત કરીએ તો, તેમણે વર્ષ 1973માં ફિલ્મ 'જલતે બદન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેમણે 'સત્યમ-શિવમ-સુંદરમ', 'પ્રેમ બંધન', 'જૂઠા કહીં કા', 'પ્રેમ રોગ', 'પસંદ અપની-અપની', 'રામ તેરી ગંગા મૈલી' જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું. તે રાજ કપૂરની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ સિવાય દૂરદર્શનના ફેમસ શો 'નુક્કડ'એ પણ તેમને ઘણી ઓળખ આપી, ત્યારબાદ તેમણે ગુલઝારની 'મિર્ઝા ગાલિબ'માં પણ કામ કર્યું, જેમાં ફકીરની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ. વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'લગાન'માં તેની શાનદાર ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.