રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા ‘આદિપુરુષ’ પર બોલ્યા

દીપિકાને આજે પણ સમગ્ર દેશમાં સીતા માતા માનવામાં આવે છે. એક્ટ્રેસને હજુ પણ એવો જ પ્રેમ અને સન્માન મળે છે જે તેમને રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવવા દરમિયાન મળ્યો હતો. ‘આદિપુરુષ’ની રીલિઝ સાથે, નેટિઝન્સે તેની સરખામણી મહાકાવ્ય ગાથા સાથે કરી અને ખુલાસો કર્યો કે કઇ રીતે ફિલ્મે હનુમાન અને રાવણના ડાયલોગ્સ માટે ટપોરી ભાષાનો ઉપયોગ કરીને ધર્મની મજાક ઉડાવી. હવે દીપિકા ચિખલિયાએ મીડિયા સાથે વાતચીત કરી અને રામાયણ વિશે ઘણુ બધુ જણાવ્યું.

દીપિકા ચિખલિયાએ કહ્યું, સીતાજીની ખૂબ જ ઇમોશનલ જર્ની છે. જ્યારે પણ કોઈ સીતાજી બોલે છે, તો હું કોઈ અન્યને જોઈ જ નથી શકતી. ક્યારેક-ક્યારેક હું પોતે પોતાને જ જોઉં છું. રામાયણ પર ફિલ્મો અને સીરિયલ બનાવવાને બદલે તેને સ્કૂલોમાં વિષયની જેમ ભણાવો. રામ એક એવુ વ્યક્તિત્વ છે, જે 14 વર્ષો માટે વનવાસ ચાલ્યા ગયા પરંતુ, કૈકેયી વિશે તેમણે ક્યારેય ખરાબ વાત નથી કહી. રાવણમાં કેટલા અવગુણો હતા પરંતુ, સદગુણ પણ હતા. આ સ્ટોરી બતાવો, જો બતાવવી જ હોય તો. જે રામાયણ રામાનંદ સાગરે બનાવી છે, તેમા તેમણે કોઈ છેડછાડ નથી કરી. એવુ નથી કે રામાયણ ત્યારબાદ નથી બની. તેના 10 વર્ષ બાદ જ રામાયણ બની હતી પરંતુ, તે એ મુકામને હાંસલ ના કરી શકી. તમારી પાસે કન્ટેન્ટ નથી? તો આના પર શા માટે બનાવી રહ્યા છે. વારંવાર તેના પર જ દરેક વ્યક્તિ શા માટે બનાવી રહી છે.

તેમણે આગળ કહ્યું, તમે આ ખોટું કરી રહ્યા છો. આ ધરોહર છે, જેને તમે હાનિ પહોંચાડી રહ્યા છો. જો કોઈ 8-10 વર્ષનું બાળક આ જોઈ લે, તો તેને તો એવુ જ લાગશે કે આ જ રામાયણ છે. તો આવુ બનાવો જ નહીં. તમે ક્યાંક ને ક્યાંક આવનારી પેઢીને જ્ઞાન આપી રહ્યા છો, તો આવુ ના કરો. બધુ જ અલગ કરવા માંગો છો અને તે ચક્કરમાં કંઈક બીજું જ આવી જાય છે. બતાવવુ હોય તો ચોપાઇઓ બતાવો, રામાયણ નહીં.

આ પહેલા દીપિકા ચિખલિયાએ ઇન્ટાગ્રામ પર સીતા માતાના પોતાના કેરેક્ટરને રીક્રિએટ કરતા એક રીલ શેર કરી અને લખ્યું, આ પોસ્ટ જનતાની માંગ પર છે. હું પોતાની ભૂમિકા માટે હંમેશાં મળેલા પ્રેમ માટે આભારી છું. હું સીતાજીના રોલ કરતા વધુ બીજું કંઈ જ ના મેળવી શકું.

યુઝર્સ રીલને જોઈને ખુશ થઈ ગયા અને તમામે પ્રેમભર્યા કમેન્ટ્સ કર્યા. એક યુઝરે લખ્યું, તમારી આ એક રીલ છે... શું કહું. એકે કહ્યું, આખી ‘આદિપુરુષ’ ફિલ્મ પર તમે ભારે પડી ગયા છે. તેમજ અન્ય એક યુઝરે સીતાજીના કેરેક્ટર માટે તેમને અપૂરણીય ગણાવ્યા, કોઈપણ તમને સીતાજીની ભૂમિકામાંથી રિપ્લેસ ના કરી શકે. એકે લખ્યું, મનમાં જ્યારે પણ સીતાનું રૂપ આવે છે, તેમા માત્ર તમે જ આવો છો, હંમેશાં આદર, જય શ્રી રામ. 

View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

જ્યારે ફિલ્મ ‘આદિપુરુષ’નું પ્રીમિયર થિયેટર્સમાં થયુ, ફેન્સે ઘણા એવા કારણોથી તેની સરખામણી રામાનંદ સાગરની રામાયણ સાથે કરી. લોકોએ રામાયણને થિયેટર્સમાં ફરીથી ચલાવવા માટે કહ્યું, યુઝરે લખ્યું, દૂરદર્શને તાત્કાલિક રામાનંદ સાગરજીના રામાયણને #AadiPurush નામના મહાકાવ્ય આપદાથી બચાવો. નેશનલ ડિટોક્સ પર તેને ફરીથી કરવી જોઈએ. એક યુઝરે કન્ટેન્ટની ગુણવત્તા અને VFXની સરખામણી કરી અને કહ્યું, આદિપુરુષમાં આજનું VFX રામાનંદ સાગરના VFX સાથે મેચ ના થઈ શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.