ડિવોર્સ લઈ ચુકેલી મલાઈકાની પરિણીત પુરુષોને સલાહ, કહ્યું- તમારી પત્નીને...

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા વધારે પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી તેના ચેટ શોમાં તેના અંગત જીવનને લઈને ઘણા ખુલાસા કરી ચૂકી છે. ત્યારે હવે, મલાઈકા અરોરાએ હાલમાં જ તમામ પતિઓને એવી સલાહ આપી છે કે તેનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. મલાઈકા અરોરાએ આ વાત યંગ ઈન્ડિયન્સની સાતમી નેશનલ સમિટ 'ટેક પ્રાઈઝ 2023'માં કહી છે. આ સાથે જ અભિનેત્રીએ પોતાના અંગત જીવનને લઈને પણ એવું નિવેદન આપ્યું છે કે, તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

આ ઈવેન્ટ દરમિયાન મલાઈકા અરોરાએ દિલ ખોલીને વાત કરી હતી. અભિનેત્રીએ આ ઈવેન્ટમાં કહ્યું, હું મારા જીવનમાં યોગ્ય માણસને ઘણું મહત્ત્વ આપું છું. હું સારી મહિલા છું અને મને યોગ્ય વ્યક્તિ મળી છે. 

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ સાથે જ મલાઈકા અરોરાએ આ કાર્યક્રમમાં હાજર તમામ પતિઓને એવી વાત કહી કે, તેનું એ નિવેદન જોત જોતામાં જ ચર્ચામાં આવી ગયું. મલાઈકા અરોરાએ તમામ પુરુષોને કહ્યું, હું અહીં હાજર તમામ પુરુષોને કહેવા માંગુ છું કે, તમારી જો પત્ની અહીં છે અથવા પછી ઘરે તમારી રાહ જોઈ રહી છે તો તમે તેની પાસે જાવ. તેને સંપૂર્ણ સન્માન આપો. આવું એટલા માટે કારણ કે, તેનું તમારા જીવનમાં ઘણું મહત્ત્વ છે. એક ખુશ મહિલા અને પત્ની તમને તમારી આસપાસની સ્થિતિને વધુ સારી બનાવવામાં તમારી મદદ કરે છે. 

View this post on Instagram

A post shared by Khanna Jewellers (@khannajewellerskj)

મલાઈકા અરોરા અરબાઝ ખાનને ઘણા વર્ષ પહેલા ડિવોર્સ આપી ચૂકી છે. ડિવોર્સ પછી અભિનેત્રી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અહીં સુધી કે, થોડા થોડા દિવસે અભિનેત્રી અર્જુન કપૂરની સાથે કોઈને કોઈ પાર્ટીમાં અથવા કોઈને કોઈ ઇવેન્ટમાં જોવા મળે છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર આ બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.