ડ્રીમગર્લ-2માં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર પરેશ રાવલે જે કહ્યું તે વાંચી તમને..

પરેશ રાવલ લાંબા સમય પછી ફરી એકવાર મોટા પરદે દર્શકોનું મનોરંજન કરતા જોવા મળ્યા. ફિલ્મ ડ્રીમગર્લ 2માં તેમની કોમેડી ટાઇમિંગ અને જબરદસ્ત એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી. ફિલ્મની સફળતાની વચ્ચે પરેશ રાવલે કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે આ ફિલ્મમાં તેને વધારે સ્ક્રીન ટાઇમ મળવો જોઇતો હતો.

પરેશ રાવલે કહ્યું કે, કોમેડીમાં સારી સ્ક્રિપ્ટ મળવી મુશ્કેલ હોય છે અને આ ફિલ્મ આવી જ હતી. અભિનેતાની ઇચ્છા હતી કે તેઓ સ્ક્રીન પર વધારે સમય નજર આવે, પણ આયુષ્માન ખુરાના જેવો તેમનો રોલ લાંબો નહોતો.

શું બોલ્યા પરેશ રાવલ

એક ઈન્ટરવ્યૂમાં પરેશ રાવલે કહ્યું કે, ડ્રીમગર્લ 2માં મારો રોલ સારો છે. પણ આયુષ્માન જેટલો મોટો નથી પણ આ સારું પાત્ર છે. ક્યારેક-ક્યારેક એક ખરાબ ફિલ્મમાં તમારી પાસે ઓછો સ્ક્રીન ટાઇમ હોય છે, તો એ ખૂબ જ સારુ હોય છે. પણ જ્યારે તમારી પાસે ડ્રીમગર્લ-2 જેવા વિષય આધારિત ફિલ્મ હોય. રાજ શાંડિલ્ય જેવો ડિરેક્ટર હોય અને આયુષ્માન જેવો કલાકાર હોય તો તમે ફિલ્મમાં લાંબો સ્ક્રીન ટાઇમ લેવાનું પસંદ કરશો.

બધા કલાકારો લાલચી હોય છે

પરેશ રાવલે આગળ કહ્યું કે, મુદ્દો એ છે કે જ્યારે કોમેડીની વાત આવે છે તો તમને મોટેભાગે સારી સ્ક્રીપ્ટ મળતી નથી. આ વાત મુશ્કેલ છે. માટે આવી સ્થિતિમાં તમે એક સારી કોમેડી ફિલ્મમાં મોટો રોલ ભજવવા માગશો. અન્ય કલાકારોની જેમ હું પણ સારું પ્રદર્શન કરવા માગુ છું અને મોટો રોલ ઈચ્છું છું. આખરે બધાં કલાકારો લાલચી હોય છે.

રાજ શાંડિલ્યના ડિરેક્શનમાં બનેલી ડ્રીમગર્લ-2નું પ્રોડક્શન એકતા કપૂર અને શોભા કપૂરે સાથે મળી કર્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો. સાથે જ ફિલ્મમાં અનન્યા પાંડે, રાજપાલ યાદવ, વિજય રાજ, મનજોત સિંહ, સીમા પાહવા, અભિષેક બેનર્જી, મનોજ જોશી અને અન્નૂ કપૂર જેવા માહેલ કલાકારો પણ સામેલ છે.

ખેર, ફિલ્મની આ સીક્વલને પહેલા પાર્ટ જેવો પ્રતિસાદ મળ્યો નથી. આ ફિલ્મ જ્યારે રીલિઝ થઇ ત્યારે બોક્સઓફિસ પર પહેલાથી જ ગદર-2 અને OMG 2 જેવી ફિલ્મો ચાલી રહી હતી. આ બંને ફિલ્મોએ આયુ્ષ્માનની આ ફિલ્મની કમાણી તોડી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.