શીઝાનની બહેને અંકલ સાથે જોડ્યો તુનિષાની માતાનો સંબંધ, પરિવારે આપી આ પ્રતિક્રિયા

મુંબઈમાં TV એક્ટ્રેસ તુનિષા શર્માના મોતના મામલામાં સોમવારના રોજ શીઝાન ખાનના પરિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને મોટા દાવાઓ કર્યા છે. શીઝાનની બહેનોએ તુનિષાની માતાનો સંજીવ કૌશલ નામના વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. હવે તુનિશાના પરિવાર તરફથી આ વિશે જવાબ આવ્યો છે. ત્યારે આ બાબતે સંજીવ કૌશલે શું કહ્યું, આવો જાણીએ...

સંજીવ કૌશલે લગાવવામાં આવેલા આરોપો પર કહ્યું કે, અમે એક દિવસ પહેલા જ મુંબઈથી ચંદીગઢ પરત ફર્યા છીએ. અહીં તુનિષાના મામાએ ગત દિવસો દરમિયાન તેની અસ્થિઓનું વિસર્જન કર્યું છે. અહીં ગઈ કાલથી સતત પરિવારના સભ્યો અમને મળવા આવી રહ્યા છે. તુનિષાની કાર અને પાલતું પ્રાણી બધુ આજે જ અહીં પહોંચ્યુ છે. અમે આ બાબતોમાં જ ઉલજી ગયા છીએ, આથી અત્યાર સુધી મેં તેમના આરોપો પર ધ્યાન નથી આપ્યું. તુનિષાની માતાની તબિયત પણ સારી નથી અને હું પોતે ડાયાબિટીસનો દર્દી છું.

તેણે આગળ કહ્યું કે, મને ફરક નથી પડતો કે, લોકો કેવા આરોપો લગાવી રહ્યા છે. હાલમાં મારી પ્રાથમિકતા એ જ છે કે, મારી આસપાસ જેટલા લોકો છે, તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપું અને આ પીડામાંથી બધાને બહાર કાઢી શકું. રહી વાત તુનિષાના સાવકા પિતા હોવાના આરોપની તો હું તો એમ જ કહીશ કે હું સાવકો પિતા નથી, પરંતુ મારી દિકરી હતી તે. ખરેખર તુનિષા હતી જ એટલી પ્યારી કે, દરેક પિતાની ઈચ્છા હશે કે તેના જેવી દીકરી હોય.

સંજીવ કહે છે કે, ભગવાન કરે, આવી છોકરી દરેકના ઘરે આવે. મેં તેને મારી પોતાની દીકરીની (રિતિકા) જેમ જ પ્રેમ કર્યો છે. મારો પરિવાર તેને પોતાની ઘરની દીકરીની જેમ જ માને છે. અહીં લોકો મારા વિશે સાવકા પિતા, પવનને (મામા) બોયફ્રેન્ડ જેવી ખરાબ વાતો કરી રહ્યા છે. અમે આનો જવાબ પણ આપીશું. તુનિષા માટે આયોજિત પ્રાર્થના-સભા પછી, અમે બધા તેના દરેક આરોપોનો જવાબ આપીશું. જો કાયદાકીય રીતે પણ અમારે જવું પડશે તો તેમાં કોઈ વાંધો નથી. કહેવાય છે ને કે, સત્યને કોઈ આંચ નથી આવતી.. બસ...

અહીં તમને જણાવી દઈએ કે, શીઝાન ખાનની બહેનોએ સોમવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો કર્યો કે, તુનિષા શર્માની માતા તેની પાસે જબરદસ્તીથી કામ કરાવતી હતી. તેણે અભિનેત્રીને પાઇ-પાઇ માટે નિર્ભર બનાવી દીધી હતી. તુનિષા તેના ઘરના લોકોથી પરેશાન હતી. એટલું જ નહીં, તેમણે સંજીવ કૌશલને તુનિષાના સાવકા પિતા ગણાવ્યા હતા. શીઝાનની બહેનોના જણાવ્યા મુજબ, તુનિષાની માતાનો સંબંધ સંજીવ સાથે છે. સાથે જે મામા પવન શર્મા મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે તે તુનિષાના સાચા મામા નથી, પરંતુ તેની માતાના માનેલા ભાઈ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.