તુનિષા આપઘાત કેસ: શીજાને કહ્યું- મુસલમાન છું એટલે ધરપકડ થઈ, મને ઉર્દુ આવડતી નથી

તુનિષા આત્મહત્યા કેસમાં દરરોજ નવી વાત બહાર આવી રહી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શીજાને ઇમોશનલ કાર્ડ રમ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શીજાને કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું છે કે જો તે મુસ્લિમ ન હોત તો કદાચ તે બચી ગયો હોત. શીજાને કહ્યુ કે તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે મુસ્લિમ ધર્મમાંથી આવે છે. શીજાને કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

શીજાનના કહેવા પ્રમાણે, તે અને તેની બહેનને ઉર્દુ આવડતું નથી તેથી તેઓ તુનીષાને ઉર્દૂ બોલતા કેવી રીતે શીખવી શકે. શીજાનના વકીલનું કહેવું છે કે તુનિષા સાથેના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચેના સંબંધો સામાન્ય હતા, તેથી તુનિષાની આત્મહત્યા સાથે શીજાનને કોઈ લેવાદેવા નથી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન શીજાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે,શીજાન કે તેની બહેનને ઉર્દુ આવડતું નથી, તો તેઓ તુનિષાને ઉર્દુ કેવી રીતે શિખવી શકે. શીજાન પોતે ડાયરેકટર્સની લખેલી લાઇન વાંચે છે.

જ્યાં સુધી હિજાબની વાત છે તો એક શૂટ દરમિયાન બંનેએ હિજાબ પહેર્યો હતો. આ કેસને લવ જેહાદનો એંગલ આપી દેવામાં આવ્યો છે અને શીજાન મુસલમાન છે એટલે તેની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી અને મોનિકા જાધવ કેસનો સંદર્ભ આપતા તુનિષાના વકીલે કહ્યું છે કે જ્યાં સુધી તપાસ અધિકારી ઇચ્છે ત્યાં સુધી આરોપીને જામીન આપી શકાય નહીં. તુનીશાના વકીલે જજની સામે કહ્યું છે કે જો શીજાનને જામીન મળે છે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે.તુનિષાના વકીલનું કહેવું છે કે તેમની પાસે આવી 21 પુરાવા  છે જે દર્શાવે છે કે શીજાને તુનિષાનો ઉપયોગ કર્યો હતો અને તેણીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે શીજાનના વકીલે રજૂ કરેલી જામીન અરજીને ફગાવી દીધી છે.

તુનિષાએ 24 ડિસેમ્બરે શૂટિંગના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાએ આત્મહત્યા કર્યાના કલાકો પછી, તેણીની માતાની ફરિયાદના આધારે તેણીના સહ કલાકાર શીઝાન મોહમ્મદ ખાનની પોલીસે ધરપકડ કરી હતી.

આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને શીજાનને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શીજાનની જામીન અરજી પર આજે સુનાવણી થઇ હતી.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.