બોલિવુડને નફરત કરે છે, બરબાદ કરવા માગે છે, બોયકોટ ટ્રેન્ડ પર સ્વરા ભાસ્કર બોલી

2022 બોલિવુડ ફિલ્મો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. બી ટાઉનના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ રહી છે અને તેનું એક મોટું કારણ ફિલ્મોને લઈ ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડને માનવામાં આવે છે. બોયકોટ ટ્રેન્ડે ઘણી મોટી ફિલ્મોને બરબાદ કરી દીધી છે હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ અંગે મૌન તોડ્યું છે.

સ્વરા ભાસ્કરે કહ્યું કે બોયકોટનો ટ્રેન્ડ હાઈપ કરવામાં આવ્યો છે. જો ફિલ્મ સારી હશે તો તે દર્શકોને થિયેટરોમાં ખેંચશે. ZOOMને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે બોયકોટ ટ્રેન્ડ વચ્ચે લોકોએ આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' જોઈ છે અને જે હિટ સાબિત થઈ છે.

સ્વરા ભાસ્કરે પણ ફરીથી કહ્યું કે કેવી રીતે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી આલિયા ભટ્ટને નિશાન બનાવવામાં આવી, જેના કારણે તેની ફિલ્મ સડક 2 બરબાદ થઈ ગઈ. સ્વરાએ આ વિશે વાત કરતાં કહ્યું- મને ખબર નથી કે બૉયકોટનો ટ્રેન્ડ ક્યા સુધી બિઝનેસ પર અસર કરશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી અને તે સંપૂર્ણ રીતે અનફેયર હતું.

સ્વરાએ આગળ કહ્યું - તે સમયે બોલિવુડના એ લિસ્ટર્સ સ્ટાર્સ પર ઘણા પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. તે સમયે સડક 2 રિલીઝ થઈ હતી. ફિલ્મને બોયકોટ કરવાની વાત કરવામાં આવી હતી. નેગેટિવ પબ્લિસિટીના કારણે ફિલ્મની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ.

સ્વરાએ કહ્યું કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ પહેલા આવો જ ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો, પરંતુ તે ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. લોકો ફિલ્મ જોવા ગયા અને તેમને પસંદ પણ આવી.

સ્વરાએ કહ્યું- આ કેટલાક લોકોનું નાનું જૂથ છે, જેઓ એજન્ડા ચલાવી રહ્યા છે. આ લોકો બોલિવુડને નફરત કરે છે. બોલિવુડને બરબાદ કરવા માંગે છે, તેથી તેઓ બોલિવુડ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. મને લાગે છે કે આ લોકોની આમાંથી કમાણી થઈ રહી છે.

સ્વરાએ કહ્યું કે તેની પાસે ઘણા પુરાવા છે કે આમાંથી મોટાભાગના પેઇડ ટ્રેન્ડ છે. સ્વરાના વિચારો વિશે તમારો શું અભિપ્રાય છે તે જણાવવાનું ભૂલશો નહીં.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.