જાણીતી TV અભિનેત્રી લીના આચાર્યનું નિધન, આ હતું કારણ

જાણીતી ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું શનિવારે દિલ્હીમાં નિધન થયું છે. કિડની ફેઈલ થઈ જતા લીનાનું મોત નીપજ્યું છે. લીનાએ ઘણી પોપ્યુલર ટીવી સીરિયલ્સ અને વેબ સીરિઝમાં કામ કર્યું છે. વેબ સીરિઝ 'ક્લાસ ઓફ 2020'માં કામ કર્યું હતું. જ્યારે ટીવી શૉ 'શેઠજી', 'આપ કે આ જાને સે' અને 'મેરી હાનિકારક બીવી'માં કામ કર્યું છે.

આ સિવાય તેણે રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'માં પણ સારૂ એવું કામ કર્યું છે. છેલ્લા એક વર્ષથી લીના કિડનીની બીમારી સામે જંગ લડી રહી હતી. લીનાનો જીવ બચાવવા માટે એની માતાએ એને કિડની ડોનેટ પણ કરી હતી. તેમ છતાં તે બચી શકી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી લીના દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. લીનાનું નિધન થતા ટીવી ઘણા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. એક્ટર રોહન મેહરાએ લીનાને યાદ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ સાથે ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટમાં રોહને લખ્યું હતું કે, તમારી આત્માને શાંતિ મળે લીના મેડમ, ગત વર્ષે આપણે આ સમયે 'ક્લાસ ઓફ 2020'નું શુટિંગ કરી રહ્યા હતા. તમે ખૂબ યાદ આવશો. જ્યારે અભિષેક ભાલેરાવે પણ એમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણી લીના સાથે થયેલી અંતિમ વખતની વાતનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં લીના કહે છે કે, આ વર્ષે તે આરામ કરશે અને આગામી વર્ષે તે મુંબઈ આવશે.

  

લીનાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લીના સાથે કામ કરી ચૂકેલા કલાકારોએ પણ એમના મૃત્યુની વાત ઝડપથી વિશ્વાસ કરતા ન હતા. પહેલા એવા સમાચાર મળ્યા હતા કે લીનાનું મૃત્યું કોરોના વાયરસને કારણે થયું છે. પણ પછી એવી સ્પષ્ટતા સામે આવી કે, એમનું નિધન કિડની ફેઈલ થવાને કારણે થયું છે. લીનાએ તા. 3 નવેમ્બરના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અંતિમ પોસ્ટ શેર કરી હતી. આ તસવીરમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોમાં તેણે ગુલાબી સાડી પહેરી છે. આ પોસ્ટમાં કોઈ પ્રકારનું કેપ્શન નથી. એમના નિધનથી ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.