મને લાગે છે કે PM મોદી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છેઃ અક્ષય કુમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી હતી. તેમના નિવેદનનું બોલિવૂડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે PM મોદીના આ નિવેદન પર અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રવિવારે ફિલ્મ સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન, બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ વિશે અને PM મોદીના નિવેદન પર વાત કરી હતી. અક્ષય કુમારે કહ્યું કે તેમના નિવેદનને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ રાહતવો શ્વાસ લેશે  અક્ષયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું હતું.

 અક્ષય કુમારે એક સવાલના જવાબમાં કહ્યું કે, હવે વધારે સ્વતંત્ર થઇને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડ્સ્ટ્રીઝ શ્વાસ લઇ શકશે. પોઝિટિવિટીનું હંમેશાં સ્વાગત છે અને ખાસ કરીને જ્યારે આપણા પ્રધાનમંત્રી કઇંક કહી રહ્યા હોય ત્યારે. બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, મને લાગે છે કે PM મોદી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યકિત છે. તેઓ જે કઇ પણ કહે અને તેને કારણે બદલાવ આવે તો એ મનોરંજન ઉદ્યોગ માટે ઘણી સારી વાત છે.

અક્ષય કુમારે કહ્યું કે આ બદલાવ પણ જરૂરી છે, કારણ કે બોલિવુડમાં અમે આ બાબતે ઘણું સહન કરતા આવ્યા છે. અક્ષય કુમારે કહ્યું કે, અમે ફિલ્મ બનાવી, સેન્સર બોર્ડમાં લઇ જઇ, બધું મંજૂર કરાવીને લાવીએ, અમે બધુ કરીએ અને કોઇક કઇં પણ બોલી દે એમાં ગરબડ શરૂ થઇ જાય છે.

સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી સહિતના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પ્રસંગેમીડિયા સાથે વાતચીત દરમિયાન અક્ષયે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. પ્રેસને સંબોધતા પોતાની ફિલ્મ વિશે અક્ષયે કહ્યુ કે,આ ફિલ્મ દરેક ફેન્સ અને દુનિયાની તમામ સેલિબ્રિટી માટે છે. હું કહેવા માંગુ છું કે અમે  આજે જે કઇ પણ છીએ તે ચાહકોના કારણે છીએ. તમે નથી તો અમે કઇં નથી.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ પણ બોયકોટનો શિકાર બનેલી છે અને અનેક જગ્યાઓ પર ફિલ્મનો પોસ્ટર ફાડી નાંખવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાજપના કાર્યકરોને ફિલ્મો વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.  ફિલ્મ નિર્માતા અશોક પંડિત, જેઓ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ છે, તેમણે પઠાણ વિવાદ વચ્ચે PM મોદીના નિવેદનના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેમની પાર્ટીના સભ્યોને PM મોદીની ચેતવણી ફિલ્મ ઉદ્યોગ માટે આત્મવિશ્વાસનો મોટો વધારો કરશે.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.