એક્ટ્રેસ જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં 10 વર્ષ બાદ આવ્યો નિર્ણય, સૂરજ પંચોલી નિર્દોષ

બોલિવુડ એક્ટ્રેસ જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં 10 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે સૂરજ પંચોલીને મુક્ત કરી દીધો છે. કોર્ટે પુરાવાઓના અભાવમાં સૂરજ પંચોલીને મુક્ત કરી દીધો છે. જિયા ખાન 3 જૂન 2013ના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના મોતે ઇન્ડસ્ટ્રીને શોક્ડ કરી દીધી હતી. જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં સૂરજ પંચાલીને CBI કોર્ટે મુક્ત કરી દીધો છે. એક્ટર પર જિયા ખાનને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.

જિયા ખાનની માતાએ દીકરીના મોતનો જવાબદાર સૂરજ પંચોલીને ઠેરવ્યો હતો. કોર્ટે પુરાવાઓના અભાવે સૂરજને મુક્ત કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, સૂરજ વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી. જિયા ખાનની માતા રાબિયા આ નિર્ણયથી જરાય ખુશ નથી.

25 વર્ષીય એક્ટ્રેસ જિયા ખાન પોતાના સપનાઓની ઉડાણ ભરવાની શરૂ જ રહી હતી, કે મોતને ગળે લગાવી લીધું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી સાથે તે સનસની બની ચૂકી હતી. 3 ફિલ્મો કરીને જિયા ખાને એ મુકામ હાંસલ કરી લીધું હતું જે ઘણી હિરોઈનોને વર્ષોની મહેનત બાદ કરી શકતી નહોતી. જિયા ખાને અમિતાભ બચ્ચન સાથે દિલમ નિઃશબ્દથી ડેબ્યૂ કર્યું હતું. પછી તે હાઉસફુલ અને ગજનીમાં નજરે પડી. સક્સેસફૂલ કરિયર જીવી રહેલી જિયા ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઇનિંગ રમવાની હતી, પરંતુ એ પહેલા તે પ્રેમના ચક્કરમાં એવી ફસાઈ ગઈ કે એક દિવસે તંગ આવીને આત્મહત્યા કરી લીધી.

3 જૂન 2013ના રોજ જ્યારે યંગ ટેલેન્ટ જિયાના મોતના સમાચાર છપાયા તો ફિલ્મી જગતના બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર ત્સુનામી જેવી આવી ગઈ હતી. દરેક એ જાણવા માગતું હતું કે તેણે આવું ખતરનાક પગલું કેમ ઉઠાવ્યું? જિયાના મોત બાદ તેની માતાએ સૂરજ પંચાલી પર ગંભીર આરોપ લગાવ્યા. તેનું કહેવું હતું કે જિયાના મોતનો જવાબદાર સૂરજ છે. તે તેની દીકરીને ડેટ કરી રહ્યો હતો. તેણે જ જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. જો કે, સૂરજે પોતાને હંમેશાં નિર્દોષ જ બતાવ્યો હતો.

પોલીસને જિયાના મોત બાદ 6 પાનાંનો લેટર મળ્યો હતો. જેમાં તેણે પોતાના દિલની વાત લખી હતી. તે સૂરજ પંચાલીને ડેટ કરી રહી હતી, પરંતુ આ સંબંધે તેને ખુશી ઓછી અને દર્દ વધારે આપ્યું હતું. એક્ટ્રેસના લેટરના આધાર બનાવતા પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ બોમ્બે હાઇ કોર્ટે જામીન આપી દીધા હતા, પરંતુ એક્ટ્રેસની માતાએ હાર ન માની. જ્યારે કોર્ટે સૂરજ આરોપી હોવાનો ઇનકારી કરી દીધો, તો રાબિયાએ ફરી કોર્ટમાં અરજી નાખી હતી. પછી કેસ CBI પાસે ગયો. રાબિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ મદદ માગી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.