એક્ટ્રેસ જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં 10 વર્ષ બાદ આવ્યો નિર્ણય, સૂરજ પંચોલી નિર્દોષ

બોલિવુડ એક્ટ્રેસ જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં 10 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે સૂરજ પંચોલીને મુક્ત કરી દીધો છે. કોર્ટે પુરાવાઓના અભાવમાં સૂરજ પંચોલીને મુક્ત કરી દીધો છે. જિયા ખાન 3 જૂન 2013ના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના મોતે ઇન્ડસ્ટ્રીને શોક્ડ કરી દીધી હતી. જિયા ખાન સ્યૂસાઇડ કેસમાં સૂરજ પંચાલીને CBI કોર્ટે મુક્ત કરી દીધો છે. એક્ટર પર જિયા ખાનને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.

જિયા ખાનની માતાએ દીકરીના મોતનો જવાબદાર સૂરજ પંચોલીને ઠેરવ્યો હતો. કોર્ટે પુરાવાઓના અભાવે સૂરજને મુક્ત કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, સૂરજ વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી. જિયા ખાનની માતા રાબિયા આ નિર્ણયથી જરાય ખુશ નથી.

25 વર્ષીય એક્ટ્રેસ જિયા ખાન પોતાના સપનાઓની ઉડાણ ભરવાની શરૂ જ રહી હતી, કે મોતને ગળે લગાવી લીધું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી સાથે તે સનસની બની ચૂકી હતી. 3 ફિલ્મો કરીને જિયા ખાને એ મુકામ હાંસલ કરી લીધું હતું જે ઘણી હિરોઈનોને વર્ષોની મહેનત બાદ કરી શકતી નહોતી. જિયા ખાને અમિતાભ બચ્ચન સાથે દિલમ નિઃશબ્દથી ડેબ્યૂ કર્યું હતું. પછી તે હાઉસફુલ અને ગજનીમાં નજરે પડી. સક્સેસફૂલ કરિયર જીવી રહેલી જિયા ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઇનિંગ રમવાની હતી, પરંતુ એ પહેલા તે પ્રેમના ચક્કરમાં એવી ફસાઈ ગઈ કે એક દિવસે તંગ આવીને આત્મહત્યા કરી લીધી.

3 જૂન 2013ના રોજ જ્યારે યંગ ટેલેન્ટ જિયાના મોતના સમાચાર છપાયા તો ફિલ્મી જગતના બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર ત્સુનામી જેવી આવી ગઈ હતી. દરેક એ જાણવા માગતું હતું કે તેણે આવું ખતરનાક પગલું કેમ ઉઠાવ્યું? જિયાના મોત બાદ તેની માતાએ સૂરજ પંચાલી પર ગંભીર આરોપ લગાવ્યા. તેનું કહેવું હતું કે જિયાના મોતનો જવાબદાર સૂરજ છે. તે તેની દીકરીને ડેટ કરી રહ્યો હતો. તેણે જ જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. જો કે, સૂરજે પોતાને હંમેશાં નિર્દોષ જ બતાવ્યો હતો.

પોલીસને જિયાના મોત બાદ 6 પાનાંનો લેટર મળ્યો હતો. જેમાં તેણે પોતાના દિલની વાત લખી હતી. તે સૂરજ પંચાલીને ડેટ કરી રહી હતી, પરંતુ આ સંબંધે તેને ખુશી ઓછી અને દર્દ વધારે આપ્યું હતું. એક્ટ્રેસના લેટરના આધાર બનાવતા પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ બોમ્બે હાઇ કોર્ટે જામીન આપી દીધા હતા, પરંતુ એક્ટ્રેસની માતાએ હાર ન માની. જ્યારે કોર્ટે સૂરજ આરોપી હોવાનો ઇનકારી કરી દીધો, તો રાબિયાએ ફરી કોર્ટમાં અરજી નાખી હતી. પછી કેસ CBI પાસે ગયો. રાબિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ મદદ માગી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.