12 દિવસ પતિ રહેલા જોને પામેલા માટે વસિયતમાં છોડ્યા 81 કરોડ રૂપિયા, કહ્યું...

PC: twitter.com

90ના દશકમાં દુનિયાભરમાં સૌથી જાણીતી સેલિબ્રિટીમાંની એક રહેલી પામેલા એન્ડરસન એક વખત ફરીથી ચર્ચામાં છે. પોતાની લાઈફમાં 6 વખત લગ્ન કરી ચૂકેલી પામેલાના એક પૂર્વ પતિએ તેના માટે પોતાની વસિયતમાં સારી એવી મોટી રકમ આપી છે અને તે પણ માત્ર 12 દિવસના લગ્ન પછી. હોલિવુડ પ્રોડ્યુસર જોન પીટર્સે 2020માં પામેલા સાથે લગ્ન કર્યા હતા અને બંનેનો સંબંધ ઘણો ચર્ચામાં રહ્યો હતો. હવે જોને પોતાની વસીયત સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પામેલા માટે વસીયતમાં એક મોટી રકમ આપવાની વાત કહેતા જોને કહ્યું છે કે તે હંમેશાં પામેલાને પ્રેમ કરતો રહેશે. જોને જે રકમ પામેલા માટે આપી છે તે ભારતીય રૂપિયાના હિસાબે 81 કરોડથી વધારે થાય છે. રિપોર્ટ્સ કહે છે કે તે જોન અને પામેલાએ પહેલી વખત 1980માં એકબીજાને ડેટ કર્યા હતા. 20 જાન્યુઆરી 2020માંએવી ખબરો આવી હતી કે બંનેએ લગ્ન કરી લીધા છે.

કહેવામાં આવી રહ્યું છે કે પામેલા અને જોને મલિબુમાં એક પ્રાઈવેટ સેરેમેનીમાં લગ્ન કરી લીધા છે. પામેલાના પબ્લિસિસ્ટે જાતે આ વાતને કન્ફર્મ કરી હતી. બંને સિલેબ્સના જીવનના આ પાંચમાં લગ્ન હતા. લગ્ન પછી પીટર્સે ધ હોલિવુડ રિપોર્ટર સાથે વાત કરતા કહ્યું હતું કે, સુંદર છોકરીઓ એક તરફ છે. હું આરામથી પસંદ કરી શકતો હતો. પરંતુ 35 વર્ષમાં હું માત્ર પામેલાને પ્રેમ કરતો હતો. પરંતુ પામેલા અને પીટર્સે પોતાના સીક્રેટ લગ્ન પછી મેરેડ સર્ટિફિકેટ માટે કોઈ લીગલ પેપરવર્ક ફાઈલ કર્યા ન હતા.

1 ફેબ્રુઆરી 2020ના પામેલાએ જાહેરાત કરી હતી કે તેણે અને પીટર્સે પોતાના મેરેજ સર્ટિફિકેટના ફોર્મલ હોવાની પ્રોસેસને રોકી દીધી છે. પામેલાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે અમે કેટલાંક સમય માટે અલગ થઈ રહ્યા છીએ. આ નક્કી કરવા માટે કે અમે લાઈફમાં અથવા એકબીજા પાસેથી શું ઈચ્છીએ છીએ. તમારા આ સપોર્ટ માટે તમારા ઘણા આભારી છીએ. થોડા સમય પછી જોનની સાથે સંબંધ પર પામેલાએ ટ્વિટરમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પામેલા એન્ડરસને કાયદાકીય રૂપથી ક્યારેય જોન પીટર્સ સાથે લગ્ન કર્યા નથી. બંનેએ માત્ર 5 દિવસ સાથે વીતાવ્યા હતા અને પામેલાએ એક ટેક્સ્ટ મેસેજ મોકલીને જોન સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

શનિવારે વેરાયટી સાથે વાત કરતા જોન પીટર્સે ખુલાસો આપ્યો હતો કે તેણે પોતાની પૂર્વ પત્ની માટે પોતાની વસીયતમાં 10 મિલિયન ડોલર્સ આપ્યા છે. જે ભારતના રૂપિયા પ્રમાણે 81 કરોડ થાય છે. તેના સ્ટેટમેન્ટ પ્રમાણે આ રકમ પામેલા માટે જ રહેશે પછી તેને તેની જરૂર હોય કે ના હોય. જોને એ પણ કહ્યું કે પામેલાને આ વાતની જાણકારી નથી. હું પામેલાને હંમેશા પ્રેમ કરતો રહીશ. પોતાના દિલમાં.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp