7 કરોડ રૂપિયાના આ સવાલનો જવાબ ન આપી શક્યો જસકરણ સિંહ, જાણો શું છે સાચો જવાબ

‘કૌન બનેગા કરોડપતિ 15’ને જસકરણના રૂપમાં પહેલો કરોડપતિ મળી ગયો, પરંતુ તે 7 કરોડ રૂપિયા જીતવાનું ચૂકી ગયો. જસકરણ સિંહે એક કરોડ રૂપિયા જીત્યા અને પોતાની ગેમથી અમિતાભ બચ્ચનને પણ હેરાન કરી દીધા, પરંતુ તે 7 કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતો ચૂકી ગયો. ચાલો તો આગળ જોઈએ કે, ‘કૌન બનેગા કરોડપતિ 15’માં અમિતાભ બચ્ચને જસકરણને 7 કરોડ માટે પૂછેલો સવાલ કયો હતો અને તેનો સાચો જવાબ શું છે.

પદ્મ પુરાણ મુજબ કયા રાજાને હરણના શ્રાપના કારણે 100 વર્ષ સુધી વાઘ બનીને રહેવું પડ્યું?

તેના 4 વિકલ્પ હતા

(A) ક્ષેમધૂર્તિ

(B) ધર્મદત્ત

(C) મિતધ્વજ

(D) પ્રભંજન

આ સવાલનો સાચો જવાબ હતો વિકલ્પ (D) પ્રભંજન. પરંતુ જસકરણ સિંહ જવાબ ન આપી શક્યો.

તો જસકરણ સિંહને 1 કરોડ રૂપિયાનો જે સવાલ આ પૂછ્યો હતો:

જ્યારે ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી સ્થળાંતરીત કરવામાં આવી હતી, ત્યારે ભારતના વાઈસરૉય કોણ હતા?

(A) લોર્ડ કર્ઝન

(B) લોર્ડ હાર્ડિંજ

(C) લોર્ડ મિન્ટો

(D) લોર્ડ રીડિંગ

તેનો સાચો જવાબ હતો વિકલ્પ (B) લોર્ડ હાર્ડિંજ. જસકરણ સિંહે લાઇફલાઇનની મદદથી સાચો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતી લીધા હતા. જસકરણ સિંહનું સપનું IAS અધિકારી બનવાનું છે અને તે UPSCની તૈયારી કરી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે જસકરણ UPSC ક્લિયર કરવા માટે કોચિંગ કરી રહ્યો નથી અને ન તો કોઇની મદદ. તે લાઇબ્રેરીમાં કલાકો વિતાવે છે અને પુસ્તકો દુનિયામાં જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવે છે, પરંતુ ક્યાંક કોઈ શંકા હોય તો ઓનલાઇન સર્ચ કરીને ગૂગલની મદદથી તૈયારી કરે છે.

જસકરણ માટે ‘કૌન બનેગા કરોડપતિ 15’ સુધીની સફળ એટલી સરળ નહોતી. તે કહે છે કે હું 4 વખતથી ‘કૌન બનેગા કરોડપતિ 15’ની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ દરેક વખત રિજેક્ટ થઈ રહ્યો હતો છતા આશા ન છોડી કેમ કે ભરોસો હતો કે એક દિવસે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસવાનો અવસર મળશે. જે સવાલનો જવાબ પુસ્તકોમાં ન મળતો, તેને ઓનલાઇન શોધતો હતો અને હવે આ પ્રકારે સફળતા હાંસલ કરી છે. અમિતાભ બચ્ચન પણ જસકરણ સિંહથી પ્રભાવિત હતા અને વખાણ કરતા કહ્યું કે તે માત્ર 21 વર્ષનો છે, પરંતુ પોતાની મહેનત અને પ્રતિભાના દમ પર અહી સુધી પહોંચ્યો છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.