દર્શકોના દિલો પર રાજ કરતા આ ટીવી શોઝને બંધ કરવાની દર્શકોએ કરી માંગ, આ છે કારણ

ટેલીવિઝનની દુનિયામાં દરરોજ કોઈ શો ઓનએર થાય છે. પરંતુ, કેટલાક જ શો હોય છે, જે લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી શકે છે. દર્શકોનો પ્રેમ મળે, તો સીરિયલની સ્ટોરી આગળ વધે છે. પરંતુ, ઘણીવાર એવુ પણ થાય છે કે સીરિયલની સ્ટોરીને એટલી ખેંચવામાં આવે કે લોકો કંટાળી જાય છે. દર્શકો પણ કંટાળીને તેને બંધ કરવાની માંગ કરવા માંડે છે. અહીં એવા જ કેટલાક શો વિશે વાત કરવામાં આવી છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

સ્ટાર પ્લસની આ સીરિયલ 2009માં શરૂ થઈ હતી. શોને ઓનએર થયાને 14 વર્ષ થઈ ગયા. આ શો જ્યારે શરૂ થયો હતો ત્યારે તેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. પરંતુ, હવે દર્શક આ ટીવી શોને ઓફએર કરવાની માંગ કરી રહ્યા છે.

અનુપમા

2020માં શરૂ થયેલા આ શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. ઓછાં સમયમાં તેણે લોકોના દિલ જીતી લીધા. પરંતુ, હવે શોની સ્ટોરીમાં એ વાત નથી, જે બે વર્ષ પહેલા હતી.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. છેલ્લાં 15 વર્ષથી આ શોએ ટીવી પર પોતાની ખાસ ઓળખ બનાવી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌકોઈ તેના ફેન છે. પરંતુ, ક્યાંક ને ક્યાંક તારક મેહતામાં પણ હવે એ ચાર્મ નથી બચ્યો.

બડે અચ્છે લગતે હૈ 2

બડે અચ્છે લગતે હૈ બાદ એકતા કપૂર 2021માં તેની બીજી સિઝન લઇને આવી. દર્શકોને આશા હતી કે પહેલી સીઝનની જેમ બડે અચ્છે લગતે હૈ 2 પણ હિટ થશે, પરંતુ એવુ ના થઈ શક્યું.

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય 2014માં ઓનએર થયો હતો. શો ઓનએર થતા જ દર્શકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. હજુ પણ સીરિયલની વાત થાય છે, પરંતુ કારણ ટ્રોલિંગ હોય છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં

અનુપમાની સાથે જ 2020માં ગુમ હૈ કિસી કે પ્યાર મેં ઓનએર થયો છે. આ શોની સ્ટોરી પણ દમદાર હતી અને દર્શકોને ખૂબ જ પસંદ પણ આવી હતી. પરંતુ, હવે સીરિયલનો હાલ શું છે, એ ફેન્સ જાણે જ છે.

કયા કારણોને લઈ થઈ રહી છે પોપ્યુલર સીરિયલ્સને બંધ કરવાની માંગ?

બોરિંગ સ્ટોરી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હોય કે પછી યે રિશ્તા ક્યા કહલાતા હૈ, તમામ ટીવીના પોપ્યુલર શોઝ છે. જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. પરંતુ, લાગે છે કે હવે શોની સ્ટોરીને આગળ વધારવા માટે જબરદસ્તી ટ્રેકને ખેંચવામાં આવી રહ્યો છે. જે દર્શકોને બોર કરી રહ્યો છે. સીરિયલ્સના કેટલાક સીન્સ એવા હોય છે, જેને જોઈને લાગે છે કે તેમા કોઈ લોજિક જ નથી.

લીડ સ્ટાર્સે છોડ્યો શો

બીજું મોટું કારણ છે શોને આગળ વધારવા માટે લીપ લેવું. જેના કારણે સીરિયલના લીડ એક્ટર્સ આ શો છોડીને ચાલ્યા જાય છે. ઘણીવાર દર્શક પોતાના ફેવરિટ એક્ટરની જગ્યાએ બીજા એક્ટરને જોઈને તે કેરેક્ટરને અપનાવી નથી શકતા અને શોની TRP પર અસર પડે છે.

ટ્રોલિંગ

ત્રીજું કારણ ટ્રોલિંગ છે. મોર્ડન જમાનામાં લોકોને પોતાની વાત કહેવા માટે કોઈ ખાસ પ્લેટફોર્મની જરૂર નથી હોતી. તેના માટે સોશિયલ મીડિયા જ પૂરતું છે. સોશિયલ મીડિયા પર લોકો આ સીરિયલ્સને લઈને પોતાની દિલની વાત કહે છે. સ્ટોરીથી કંટાળીને તેઓ શો બંધ કરવાની માંગ કરે છે. ઘણીવાર ફેન્સ સીરિયલ્સની સ્ટોરીમાં નવા બદલાવ લાવવાની સલાહ આપે છે પરંતુ, મેકર્સ કદાચ જ તે વાતો પર ધ્યાન આપે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.