‘આદિપુરુષ’ પર હિન્દુ મહાસભાએ નોંધાવી ફરિયાદ, બોલી-આખી સ્ટાર કાસ્ટ પર થાય કેસ

આદિપુરુષને લઈને વિવાદ થોભતો નજરે પડી રહી નથી. ડાયલોગ્સને લઈને શરૂ થયેલો વિવાદ હવે FIR સુધી આવી ગયો છે. હિંદુમહાસભાએ લખનૌમાં ફિલ્મ વિરુદ્ધ FIR નોંધાવી દીધી છે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે આખી સ્ટાર કાસ્ટ વિરુદ્ધ કેસ થવો જોઈએ. આ અગાઉ હિન્દુ સેનાએ પણ કોર્ટમાં ફિલ્મને બેન કરવાને લઈને અરજી દાખલ કરી હતી. કેટલાક બીજા રાજ્યોમાં પણ વિવાદના સૂર ઉઠી રહ્યા છે. હકીકતમાં આદિપુરુષમાં જે પ્રકારે રામાયણ દેખાડવામાં આવી છે, ઘણા લોકો તેને પસંદ કરી રહ્યા નથી.

ઓમ રાઉતનું આ મોડર્ન વિઝન લોકોને ગળે ઉતરી રહ્યું નથી. તેની ઉપર જે પ્રકારે ડાયલોગ્સ લખવામાં આવ્યા છે, તેણે પણ સોશિયલ મીડિયાની દુનિયામાં મોટો હોબાળો ઊભો કરી દીધો છે. આમ ડાયલોગ તો હવે ફિલ્મના બદલવા જઈ રહ્યા છે. હકીકતમાં ફિલ્મના લેખક મનોજ મુંતશિરે જાહેરાત કરી દીધી છે કે જે પાંચ પંક્તિઓને લઈને સૌથી વધુ વિવાદ છે તેને બદલવામાં આવશે. મેં અને ફિલ્મના નિર્માતા-ડિરેક્ટરે નિર્ણય લીધો છે કે તેઓ કેટલાક સંવાદ જે તમને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું અને આ જ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.

મનોજ મુંતશિરે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે તેને એટલી જલદી જજ કરી લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે, બની શકે, 3 કલાકની ફિલ્મમાં મેં 3 મિનિટ કંઈક તમારી કલ્પનાથી અલગ લખી દીધું હોય, પરંતુ તમે મારા મન પર સનાતન દ્રોહી લખવામાં અટલી ઉતાવળ કેમ કરી, હું જાણી ન શક્યો. ભાર આપીને કહેવામાં આવ્યું કે, આ ફિલ્મ સનાતન માટે બનાવવામાં આવી છે અને તેનું ઉદ્દેશ્ય એ જ રહેવું જોઈએ. આમ આ તર્કો વચ્ચે આદિપુરુષની કમાણી પર કોઈ અસર પડી રહી નથી. ફિલ્મ ભારત અને બહાર જબરદસ્ત કમાણી કરી રહી છે. 2 દિવસમાં જ ગ્રાસ કલેક્શન 200 કરોડ પાર થઈ ચૂક્યો છે. એડવાન્સ બુકિંગના આંકડા બતાવે છે કે આગામી દિવસોમાં પણ કમાણીમાં તેજી ચાલુ રહેવાની છે.

ડાયલોગ્સ સહિત તમામ બાબતે નિંદા તો થઈ જ રહી છે. ડિરેક્ટર ઓમ રાઉત આ સમયે સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમાં તેમણે હનુમાનજી માટે કંઈક કહ્યું હતું કે, શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા બિલ્ડિંગના આસપાસના લોકોને એવું જ લાગે છે? હનુમાન જયંતી પર ખૂબ તેજ મ્યૂઝિક વગાડી રહ્યા છે, મતલબ ખૂબ જ વધારે તેજ, ઉપરથી બધા અપ્રાસંગિક સોંગ.’ આ ટ્વીટ તેમણે વર્ષ 2015માં કરી હતી. જ્યારે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો તેને ડીલિટ કરી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશૉટ ચાલવા લાગ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.