માધુરી દીક્ષિતના માતા સ્નેહલતા દીક્ષિતનું નિધન

બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતે 90ના દશકમાં દિલો પર રાજ કર્યું છે. તેની અદાકારી, એક મિલિયન ડોલરનું હાસ્ય અને ઘૂંઘરાળા વાળોએ લાખો બોલિવુડ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેનું એમ કરવાનું અત્યારે પણ ચાલુ છે. ‘હમ આપકે હૈ કૌન’, ‘દેવદાસ’, ‘દિલ તો પાગલ હૈ’, જેવી ફિલ્મોથી ફેમસ થઈ. માધુરી દીક્ષિતે પોતાના પરિવાર અને ખાસ કરીને પોતાની માતા સાથે એક ખાસ સંબંધ શેર કરે છે. આજે એટલે કે 12 માર્ચના રોજ સવારે લગભગ 8:00 વાગ્યે માધુરીની માતા સ્નેહલતા દીક્ષિતનું નિધન થઈ ગયું. તેની માતા 90 વર્ષની હતી.

જે લોકો નથી જાણતા તેમના માટે માધુરી દીક્ષિતનો જન્મ એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં સ્નેહલતા દીક્ષિત અને શંકર દીક્ષિતન ઘરે થયો હતો અને તે 4 ભાઈ-બહેનમાં સૌથી નાની છે. માધુરીની બે મોટી બહેનો અને એક મોટો ભાઈ છે. માધુરીને એક કાર્ડિયોવેસ્કુલર સર્જન ડૉ. શ્રીરામ નેનેનો પ્રેમ મળ્યો હતો અને 17 ઓકટોબર 1999ના રોજ તેની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ખૂબ પ્રેમ કરનારા કપાલના સંતાનોમાં બા દીકરા છે આરીન અને રયાન.

27 જૂન 2022ના રોજ માધુરી દીક્ષિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર અને પ્રેમાળ માતા સ્નેહલતા દીક્ષિતની તસવીરોની એક સીરિઝ પોસ્ટ કરી હતી. તમે પહેલી તસવીરમાં પોતાની માતા અને પોતાના પતિ શ્રીરામ નેને સાથે પોઝ આપતી જોઈ શકો છો. તસવીરોમાં આપણે સ્નેહલતાની તસવીરને જોઈ શકીએ છે. જેમ કે માધુરીની માતા ત્યારે 90 વર્ષની થઈ ગઈ હતી. માધુરીએ પોતાની માતા માટે સૌથી સુંદર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જન્મ દિવસની શુભેચ્છા, તેઓ કહે છે કે એક મા એક દીકરીની સૌથી સારી મિત્ર હોય છે, તેઓ હજુ વધારે સાચા નહીં હોય શકે. તમે મારા માટે કંઈ પણ કર્યું છે, તમે બધાને પાઠ ભણાવ્યો છે, તે તમારી તરફથી મારા માટે સૌથી મોટો ઉપહાર છે. હું તમારા માત્ર સારા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરું છું. ઉલ્લેખનીય છે કે, માધુરી દીક્ષિતના કરિયરના શરૂઆતી દિવસોમાં તેની માતાએ તેનો ખૂબ સપોર્ટ કર્યો હતો. ફિલ્મની શૂટિંગ હોય કે પછી કોઈ ઇવેન્ટ હોય, તેની માતા હંમેશાં માધુરી સાથે રહેતી હતી. એક્ટ્રેસ ઘણી વખત કહી ચૂકી છે કે સ્ટાર હોવા છતા એક સામાન્ય જિંદગી જીવવામાં તેની માતાનો ખૂબ મોટો હાથ છે. તેની માતાએ હંમેશાં તેને જમીન સાથે જોડાઈને રહેવાનું શીખવ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.