બિગ બોસમાંથી બહાર નીકળતા આલિયાએ કોના પર આરોપો લગાવ્યો, બોલી- સેનિટરી પેડને...

આલિયા સિદ્દીકી બિગ બોસ OTTના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. આ હકાલપટ્ટીથી આલિયા પોતે પણ આશ્ચર્યચકિત છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને તેને આશા નહોતી કે તે આટલી જલ્દી ઘરની બહાર જશે.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે, શું તમને અપેક્ષા હતી કે તે આટલી જલ્દી બહાર નીકળી જશે. એકંદરે બહાર કાઢવા પર તમે કઈ કહેવા માંગો છો?, તો આલિયા સિદ્દીકીએ જવાબ આપતા કહ્યું કે, ના, બિલકુલ નહીં, મેં વિચાર્યું ન હતું કે મને આ રીતે બરતરફ કરવામાં આવશે. જુઓ, બધા એક દિવસ ઘરની બહાર આવશે, પણ મારી સાથે જે થયું તેની મને અપેક્ષા નહોતી. મેં કોઈની વિરુદ્ધ મારી વાત કહી હતી, તેના કારણે મને ટાર્ગેટ બનાવવામાં આવી. તેનું નામ લેતાની સાથે જ આખી વાત બદલાઈ ગઈ. આ જ કારણ હતું કે, મને બરતરફ કરવામાં આવી.

તેમને પૂછવામાં આવ્યું કે, તમે નવાઝુદ્દીન અને તમારી વિશે વાત કરી રહ્યા છો, તે તો સ્ક્રીન પર ક્યાંય દેખાતી ન હતી, તેના પર આલિયા સિદ્દીકીએ કહ્યું, ખબર નહીં શું થયું. આ પાછળ તેનો ઈરાદો શું હશે? જે રીતે મને કાઢી મૂકવામાં આવી અને જે નાની નાની બાબતો પર મારું અપમાન કરવામાં આવ્યું, તે મારા માટે ચોંકાવનારું હતું. જુઓ, રમત તો હું સારી રીતે રમી રહી હતી. અચાનક જે બન્યું તે હું વર્ણવી શકતી નથી.

તેમને સલમાન ખાન પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવવા પર પૂછ્યું અને બતાવ્યું કે, શું તમને ડર નથી લાગતો કે આવા આરોપને કારણે તમને ફરીથી પ્રવેશમાં સમસ્યા આવી શકે છે, તો તેમણે કહ્યું કે, મેં કહ્યું નથી કે સલમાન ખાન પક્ષપાતી છે. તેણે મને જે કહ્યું તે સાચું ન હતું. મારા સિવાય ઘરમાં બધા એ જ કરતા હતા. તેઓ ખાસ કરીને મને ટાર્ગેટ કરીને બોલતા હતા. તેઓ કહેતા હતા કે, હું બધાને ઘરમાં પકડી પકડીને નવાઝ અને મારી વાર્તા સંભળાવી રહી છું, જે તદ્દન ખોટું છે.

અભિષેકે જયારે મને પૂછ્યું, ત્યારે મેં તેની સાથે મારી અંગત વાત શેર કરી. નહિતર, હું પહેલા કોઈને કંઈ કહેતી નહોતી. જ્યારે સલમાન કહે છે કે, તે નિયમોની વિરુદ્ધ છે, તો નિયમો તો દરેકને લાગુ પડે છે ને? હવે પૂજા ભટ્ટે કહ્યું કે, તે મહેશ ભટ્ટની દીકરી છે, અથવા તો જે રીતે તે તેની ફિલ્મો વિશે વાત કરતી હતી, જ્યારે ફલક તેના ભાઈ શીજાન માટે બોલી રહી હતી. ઘણા લોકો તેમના સોશિયલ મીડિયા, યુટ્યુબ પર બોલ્યા છે, પરંતુ હું જ કેમ નિશાના પર હતી. બસ આ બાબતનું દુઃખદ છે મને. જુઓ, તે સાર્વજનિક સ્થળ હતું, મારે તેના શબ્દોને માન આપવું પડ્યું.

તેમને ફરીથી તક આપવામાં આવે, અને તેમના પાછા આવવા વિષે તેમણે કહ્યું કે, જુઓ, જ્યારે હું નવાઝ અને મારા સંબંધોની સમસ્યા વિશે સત્તાવાર બની હતી, ત્યારે ઘણા લોકોએ મને નકારાત્મક બનાવી દીધી હતી. તેઓ મારા વિશે ખોટી છાપ ઉભી કરી રહ્યા હતા. આ શોમાં આવ્યા પછી, જ્યારે તેણે દસ દિવસ જોયા તો તેનો અભિગમ બદલાઈ ગયો છે. તેઓ સમજી ગયા કે હું ખરેખર શું છું, તેથી આ પ્લેટફોર્મે મને તે આપ્યું છે. તેથી સ્વાભાવિક છે કે, જો મને ફરી તક મળશે તો હું ચોક્કસ જઈશ. અત્યારે તો હું દુબઈ જવા રવાના થઈ રહી છું અને અહીંથી નીકળતાં જ બાળકોને મળવા જઈ રહી છું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.