મનોજ મુંતશિરની વાસ્તવિકતા સામે આવી, કુમાર વિશ્વાસનો ડાયલોગ ચોર્યો:ગજેન્દ્ર ચૌહાણ

મહાભારતમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર ચૌહાણ 'આદિપુરુષ'થી ખૂબ નારાજ છે. ગજેન્દ્રનું માનવું છે કે, આવી ફિલ્મો દેશની ધાર્મિક લાગણીઓની મજાક ઉડાવે છે. ગજેન્દ્રએ આદિપુરુષ અને તેમના લેખન પર મીડિયા સાથે વાતચીત કરી હતી

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગજેન્દ્ર કહે છે, સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે રામાયણ અને મહાભારતની વાર્તાઓ આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલી છે. તેમની સાથે આ રીતે રમાયેલી રમત કોઈએ સહન ન કરવી જોઈએ. મહાભારત અને રામાયણ જોવાની વાત નથી પણ શીખવાની વાત છે. આપણે આને વારસા તરીકે આગામી પેઢીને આપીએ જઈએ છીએ. આ આપણા દેશની ધરોહર છે, જેનું રક્ષણ થવું જોઈએ. આમાંથી કોઈ ખોટો સંદેશ ન જવો જોઈએ.

ગજેન્દ્ર કહે છે કે, મેં આ ફિલ્મ જોવા માટે ટિકિટ પણ બુક કરાવી હતી, પણ ખબર નહીં કેમ મારો આત્મા એ વાત માટે રાજી નથી થઈ રહ્યો કે મારે તેને થિયેટરમાં જઈને જોવી જોઈએ. વાસ્તવમાં, મેં ટ્રેલરમાં, ટૂંકી ક્લિપ્સમાં જે કંઈ પણ જોયું છે, બધું જાણ્યા પછી, મને સમજાયું કે આ ફિલ્મ તેના માટે યોગ્ય નથી. હું મારી માન્યતાને બિલકુલ ખતમ કરવા માંગતો નથી. હું રામને માત્ર ભગવાન શ્રીરામના રૂપમાં જોવા માંગુ છું. હું માનું છું કે આની પાછળ ચોક્કસપણે કોઈ ઊંડું ષડયંત્ર છે, તેઓ આપણી ભાવિ પેઢીને બગાડવા માંગે છે. હું T-Series ના ભૂષણ જીને કહેવા માંગુ છું કે તેમના પિતાએ જે વારસો આગળ વધાર્યો છે અને જે રીતે તેમણે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખ્યું છે, તેમણે આ બધી બાબતોનું ખૂબ જ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ. આવનારા સમયમાં આવી વસ્તુઓને બિલકુલ મહત્વ ન આપવું જોઈએ.

સંવાદોના સુધારા પર ગજેન્દ્ર કહે છે, જુઓ ધનુષમાંથી તીર નીકળી ગયું છે. જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું. હવે તમે ગમે તેટલો સુધારો કરો, તે બદલાવાનું નથી. આનાથી કોઈ ફાયદો થશે નહીં. લોકો આદિપુરુષને સજા આપી ચૂક્યા છે. પહેલા દિવસનું કલેકશન અને આજના દિવસોના કલેકશનમાં ઘટાડો જુઓ. તેઓ સજાને પાત્ર છે, તેમને સજા થવી જ જોઈએ. જો કે સેન્સર બોર્ડના નિર્ણયથી હું આશ્ચર્યચકિત છું. તેમના પર પણ સવાલો ઉભા થવા જોઈએ. આ ફિલ્મ બિલકુલ રિલીઝ ન થવી જોઈતી હતી. આખી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સરકારે તાત્કાલિક આના પર રોક લગાવવી જોઈએ.

ગજેન્દ્ર આગળ કહે છે, મને લાગે છે કે મનોજ મુંતશિરે પોતાની અજ્ઞાનતા બતાવી છે. તેને ખરેખર કોઈ જ્ઞાન નથી. તેઓ ગીતકાર છે, તેમને સંવાદો લખવા આપી દીધા. જે વક્તા અને લેખકોના વીડિયો સોશિયલ મીડિયા પર ફરે છે, મુંતશિર સાહેબે ત્યાંથી સંવાદો ઉઠાવીને ફિલ્મમાં ઉમેર્યા છે. કુમાર વિશ્વાસનો ડાયલોગ છે 'તેરી લંકા લગા દૂંગા મેં'. આ બધું ઉમેરીને તેણે એવું બતાવવાનું શરુ કર્યું છે કે, આ બધું તેણે લખ્યું છે. તેમ છતાં પણ તે જીદ પર અડેલો છે, આવું અભિમાન કોઈપણ કલાકાર માટે યોગ્ય નથી.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.