અક્ષયની ફિલ્મ ‘મિશન રાનીગંજ' ફ્લોપ જાય તેવી ચર્ચા કેમ ચાલી રહી છે?

‘OMG’ની સફળતા બાદ એમ લાગ્યું કે અક્ષય કુમારને મોટા પરદા પર જોવા માટે જનતા ફરીથી એક્સાઈટેડ છે. આજે અક્ષય કુમારની નવી ફિલ્મ ‘મિશન રાનીગંજ’ થિયેટર્સમાં રીલિઝ થઈ છે અને તેને જે પ્રકારે રિસ્પોન્સ મળી રહ્યો છે, એ જરાય સારો નથી. ‘રિયલ લાઇફ ઘટનાઓ’ પર બેઝ્ડ અક્ષય કુમારની ફિલ્મો થિયેટર્સમાં સારો બિઝનેસ કરતી રહી છે. ‘મિશન રાનીગંજ’ પણ એક રિયલ ઘટના પર બેઝ્ડ છે. ફિલ્મની કહાની માઇનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર બેઝ્ડ છે, જેમણે કોયલાની ખાણમાં ફસાયેલા 65 લોકોના જીવ બચાવ્યા હતા.

‘મિશન રાનીગંજ’માં અક્ષય આ જ જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવી રહ્યો છે, પરંતુ અક્ષયના સ્ટારડમના હિસાબે શરૂઆતથી જ ફિલ્મને લઈને એવો મજાનો માહોલ નહોતો, જેવો તેની ફિલ્મો માટે હોય છે. હવે આ ફિલ્મ થિયેટર્સમાં તો પહોંચી ચૂકી છે, પરંતુ પહેલા દિવસે તેનો બિઝનેસ સારો એવો થતો નજરે પડી રહ્યો નથી. અક્ષયની ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ આ અઠવાડિયાથી શરૂ થઈ હતી. રિપોર્ટ્સ બતાવે છે કે આખું અઠવાડિયુ વીતી ગયા બાદ પણ નેશનલ ચેન્સમાં  ‘મિશન રાનીગંજ’ની લગભગ 7 હજાર જ ટિકિટ બુક થઈ છે.

જ્યારે સેકનિલ્કનો રિપોર્ટ બતાવે છે કે ફિલ્મ માટે માત્ર 36 હજારથી વધારે જ ટિકિટ એડવાન્સ બુક થઈ છે. આ બુકિંગથી ‘મિશન રાનીગંજ’નો એડવાન્સ ગ્રોસ કલેક્શન 1 કરોડ રૂપિયાથી પણ ઓછો છે. નેશનલ ચેન્સમાં ‘મિશન રાનીગંજ’ની એડવાન્સ બુકિંગ, અક્ષયની સૌથી મોટી ફ્લોપ ફિલ્મોમાંથી એક ‘સેલ્ફી’થી પણ ઓછી છે. અક્ષય કુમાર અને ઈમરાન હાશમી અભિનીત ‘સેલ્ફી’ માટે રીલિઝ અગાઉ સુધી 16 હજાર કરતા વધુ ટિકિટ બુકિંગ થઈ ચૂકી હતી, જ્યારે ‘મિશન રાનીગંજ’ માટે આ આંકડો 7 હજારની નજીક જ છે.

એડવાન્સ બુકિંગનો ટ્રેન્ડ કહે છે કે ‘મિશન રાનીગંજ’ પહેલા દિવસે 3-4 કરોડ રૂપિયાનો કલેક્શન કરી શકે છે. ફિલ્મની બુકિંગ ભલે સારી નથી, પરંતુ તેને સારા રિવ્યૂ મળી રહ્યા છે. જો પહેલા દિવસની ફિલ્મને જનતા પાસેથી સારી એવી પ્રશંસા મળવાની શરૂ થાય છે તો ‘મિશન રાનીગંજ’ની કમાણી સારી થઈ શકે છે. છતા પણ અક્ષયની ફિલ્મ માટે 5 કરોડનો આંકડો થોડો દૂર રહેશે. લોકડાઉન વચ્ચે રીલિઝ થયેલી ‘બેલ બોટમ’ (2021)ને છોડી દઈએ તો અક્ષયના કરિયરની સૌથી ઠંડી ઓપનિંગ સેલ્ફીને મળી હતી.

આ વર્ષે આવેલી ‘સેલ્ફી’એ પહેલા દિવસે 2.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વર્ષ 2012 બાદ અક્ષયની કોઈ પણ ફિલ્મનું કલેક્શન 5 કરોડ રૂપિયાથી ઓછું થયું નહોતું, પરંતુ આ વર્ષે ‘સેલ્ફી’ની ખૂબ નબળી ઓપનિંગે લોકોને શૉક કરી દીધા. હવે ‘મિશન રાનીગંજ’ પણ આ માર્ગે જઈ રહી છે. એડવાન્સ બુકિંગમાં થયેલી કફોળી હાલતથી ‘મિશન રાનીગંજ’નો બેડો પાર લાગતો નજરે પડી રહ્યો નથી. જો કે, અક્ષયની ફિલ્મોને જે એક વસ્તુ હેલ્પ કરે છે તે જનતાની પ્રશંસા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘મિશન રાનીગંજ’ માટે પોઝિટિવ વર્ડ ઓફ માઉથ બની શકે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.