મને બાળો તો સુકા લાકડાથી બાળજો, ભીનાથી બાળશો તો ગેરસમજ થશે: નાના પાટેકર

હિંદી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય, બેખોફ સંવાદો માટે જાણીતા અને લાખો ચાહકોના ફેવરિટ નાના પાટેકર ટૂંક સમયમાં એક નવા પ્રોજેક્ટ સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યા છે.પાટેકર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આજકાલ તે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ખુલ્લેઆમ અને હિંમતથી બોલતા નાનાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં દિલથી વાત કરી હતી. બોલિવૂડ હોય કે લાઈફ, તેમણે દરેક સવાલના પારદર્શીજવાબો આપ્યા હતા.

વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા નાના આજે પણ પોતાના મૂળ સાથે જોડાયેલા છે. તેમનામાં કૃત્રિમતા નથી. તેઓ દેખાડો કરવામાં માનતા નથી,સાદું જીવન જીવે છે અને તેમણે નક્કી કરેલા સિદ્ધાંતો પર ચાલે છે.નાના કહે છે કે તેઓ જીવનની વાસ્તવિકતા સમજી ગયા છે. તે ન તો કોઈ ગેરસમજમાં રહે છે અને ન તો અન્ય કોઈ ગેરસમજમાં રહે છે. નાનાએ કહ્યું- હું મૃત્યુમાં માનું છું પાટેકરે કહ્યું કે, મારી ચિતા પર હું 12 મણ લાકડું લાગવાના છે અને આ જ મારી અંતિમ મિલકત છે જેની સાથે હું અંતિમ યાત્રાએ નિકળી જવાનો છું.

નાનાએ કહ્યું કે મેં મારી ચિતા માટે 12 મણ લાકડા રાખેલા છે, જે સુકા લાકડા છે, અને એની પર જ મારી ચિતા સળગાવજો. ભીના લાકડાનો ઉપયોગ કરશો નહીં, નહીં તો ધુમાડો આવશે મિત્રો, જ્યારે લોકો ભેગા થશે ત્યારે ધુમાડો તેમની આંખો પર અથડાશે અને પછી તેમની આંખોમાં પાણી આવશે.

આવી સ્થિતિમાં, મરતી વખતે ગેરસમજ થશે કે તેઓ મારા માટે રડે છે.કમ સે કમ મરતી વખતે કોઈ ગેરસમજ ના થવી જોઈએ. તમે કાલે મૃત્યુ પામશો અને 2-4 દિવસ પછી તમને કોઈ યાદ નહીં કરે. મેં તો પહેલેથી જ કહી દીધું છે કે મારી તસ્વીર પણ ન લગાવતા.એક વખત અંતિમ યાત્રા પુરી થઇ એટલે પુરી રીતે ભુલી જાઓ, આ એકદમ મહત્ત્વનું છે.

નાના પાટેકરે કહ્યુ કે, અમે 7 ભાઇ-બહેનો હતો, બધા આ દુનિયા છોડી ગયા છે, માત્ર હું એકલો રહી ગયો છે. મા-બાપ, ભાઇ બહેન નથી, તો હવે હું આ દુનિયાનો નથી રહ્યો, મારા પોતાના બીજી દુનિયામાં ચાલ્યા ગયા છે.

ઈન્ટરવ્યુમાં અભિનેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ કે, મને PMનું કામ ખૂબ ગમે છે. પાટેકર કહ્યું કે જ્યારે PM નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હું અમદાવાદમાં મળ્યો હતો. અમે લાંબા સમય સુધી વાત કરી. હવે તે ખૂબ જ વ્યસ્ત છે. થોડા સમય પહેલા હું 'નામ' ફાઉન્ડેશનના કામ માટે અમિત શાહને મળ્યો હતો. તેમણે એક જ દિવસમાં મારુ કામ પતાવી આપ્યું હતું. મને અહીં ક્યારેક પણ કોઇ નેતાથી પરેશાની થઇ નથી.

‘ધ વેક્સીન વોર’ પછી નાના પાટેકરે અનિલ શર્માની એક ફિલ્મ સાઇન કરી છે, જેનું નામ છે ‘જર્ની’. ગદર-2ના ડાયરેક્ટરની જર્ની ફિલ્મની સ્ટોરી સાંભળ્યા પછી નાના પાટેકરે ફિલ્મમા અભિયાન કરવાની તૈયારી દર્શાવી હતી. જર્ની ફિલ્મમાં પિતા-પુત્રની વાત છે. પિતા માનસિક રોગના શિકાર છે.

હાલમાં જ નાના પાટેકરની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. લોકોને આ ખૂબ પસંદ આવ્યું છે. ફિલ્મમાં પલ્લવી જોશી, રાયમા સેન, અનુપમ ખેર, ગિરિજા ઓક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નાનાએ ડોક્ટર ભાર્ગવની ભૂમિકા ભજવી છે. વિવેક અગ્નિહોત્રી થોડા સમય પહેલા ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ બનાવીને છવાઇ ગયા હતા અને તેમની એ ફિલ્મે ધૂંઆધાર કમાણી કરી હતી.<

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.