કેવી છે વહુ આલિયા ભટ્ટ? પ્રશ્ન પર નીતૂ કપૂરનો જવાબ જીતી લેશે દિલ

રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારની વહુ બની ગઈ છે. કપલના લગ્ન બીટાઉનના મોસ્ટ અવેઈટેડ અને સૌથી ચર્ચિત વેડિંગ્સમાંથી એક રહ્યા હતા. લગ્ન બાદ આલિયાની સાસુએ પુત્ર રણબીર અને વહુ આલિયાના વેડિંગ ફોટો શેર કરીને તેમને ‘પોતાની દુનિયા’ કહ્યા હતા. હાલમાં જ પેપરાજીએ પણ નીતૂને તેની વહુના વિશે પ્રશ્નો પૂછ્યો હતો, જેના પર નીતૂએ આપેલો જવાબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પેપરાજી નીતૂને પૂછે છે ‘વહુ કેવી છે તમારી?’. જેના પર સ્માઈલ અને ખુશી સાથે નીતૂ જવાબ આપે છે કે, ‘વહુ...સારી છે, ખૂબ જ સારી છે.’ નીતૂના જવાબથી વધુ તેના એક્સપ્રેશને લાઈમલાઈટ મેળવી હતી, તે ગર્વથી પોતાની વહુ વિશે જણાવતી જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો પર અનેક લોકોએ નીતૂને ટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એક યૂઝરે કહ્યું કે, ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો ક્યા ગમ હૈ, જિસે છુપા રહે હો.’ તેમજ બીજા એક યૂઝરે લખ્યું, ‘તે આટલી ક્યૂટ છે અને તે આલિયાને ખૂબ જ પ્રેમ કરે છે.’ લોકોનું કહેવાનું તો ચાલતું રહેશે, અનેક લોકો ટ્રોલ કરશે, અનેક લોકો વખાણ કરશે પણ નીતૂ અને આલિયાની બોન્ડીંગ પહેલાથી જ સારી જોવા મળતી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

નીતૂ અને આલિયાની વચ્ચે કેવી છે બોન્ડીંગ?

નીતૂની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને જોઈએ તો, તે પહેલા પણ આલિયા સાથેના ફોટો શેર કરી ચૂકી છે, તે આલિયાના બર્થડે પર તેને વિશ કરવાનું ભૂલી ગઈ હતી. તેમજ, આલિયા પણ નીતૂ કપૂરની સાથે ખૂબ જ સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે, તેના સોશિયલ મીડિયા પેજ પર પર બંને સાસુ-વહુનો આ મજબૂત સંબંધ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે.

લગ્નના થોડા દિવસો પછી જ કામ પર પાછા ફર્યા રણબીર-આલિયા

આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. સંબંધીઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં આલિયા અને રણબીરે પોતાના સંબંધ પર ઓફિશિયલ જાહેર કર્યો હતો. 16 એપ્રિલે વેડિંગ રિસેપ્શન થયું અને પછી એક અઠવાડિયાની અંદર બંને પોતાના કામ પર પાછા ફર્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.