નેહા કક્કરને રડવાના કારણે ટ્રોલ થવાથી નથી લાગતું ખરાબ, કહ્યું-બધા બીજાનું દુ:ખ..

સિંગર નેહા કક્કર રિયાલિટી શોમાં ખૂબ જ જલદી ઈમોશનલ થઇ જવાના કારણે ઓળખાય છે. નેહા કોઈ શો પર જજ બનેલી હોય કે મહેમાન, સિંગિંગ કરતા કન્ટેસ્ટેન્ટ્સના સુર લાગવાના શરૂ થતા જ નેહાના આંસુ વહેવા લાગે છે. પોતાના 15 વર્ષના કરિયરમાં નેહા કક્કરે અનેક રિયાલિટી શોને જજ કર્યું છે. દરેક સમયે તે સારું પરફોર્મન્સ જોઇને રડી પડે છે અને આ જ કારણે તેને ટ્રોલ્સ નિશાના પર લે છે.

નેહાએ આંસુ નીકળવા પર કહી આ વાત

અનેક વાર નેહા કક્કરના રડવાને ડ્રામા પણ કહેવામાં આવે છે. ટ્રોલ્સ હંમેશાં નેહાનો મજાક બનાવે છે, ત્યારે હવે એક ઇન્ટરવ્યૂમાં નેહા કક્કરે આ વિશે વાત કરી છે. તેનું કહેવું છે કે, તે પોતાને મજાક બનાવતા લોકો વિશે ખરાબ બોલી શકતી નથી. કેમ કે, બધા તેના જેવા ઈમોશનલ નહીં હોય.

એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં નેહા કક્કરને પૂછવામાં આવ્યું કે, જ્યારે તે રિયાલિટી શો પર રડવા માટે ટ્રોલ થાય છે, તો તેનું રિએક્શન શું હોય છે? આના પર સિંગરે કહ્યું કે, ‘હું તેમને ખોટા નથી કહી શકતી. ઘણા બધા લોકો છે જે થોડા પણ ઈમોશનલ નહીં હોય, જે લોકો ઈમોશનલ નથી. તેમને હું ફેક જ લાગીશ, પણ જે લોકો મારા જેવા સેન્સિટીવ છે, તે મને સમજશે અને મારી સાથે જોડાશે. આજના સમયમાં આપણે વધારે લોકોને નથી મળતા, જેમને બીજાના દુ:ખનો અનુભવ થાય છે અને જે બીજાની મદદ કરવા ઈચ્છે છે. મારા અંદર આ ક્વોલિટી છે અને મને આને લઈને કોઈ પશ્ચાતાપ નથી.’

શું રિયાલિટી શોમાં થાય છે ડ્રામા?

અનેક વાર દર્શક રિયાલિટી શોમાં કન્ટેસ્ટેન્ટ્સની પર્સનલ લાઈફની કહાની બતાવવાને ડ્રામા ગણાવે છે. આના પર પણ નેહા કક્કર પાસે તેના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. તેને કહ્યું કે, ‘હું આને ડ્રામા નહીં કહીશ. એક શોને ઈન્ટરેસ્ટીંગ બનાવવા માટે તેમાં આ વસ્તુઓ જોડવામાં આવે છે. માત્ર સિંગિંગ અને ડાન્સિંગ જોવું બોરિંગ હોઈ શકે છે, તો અમે કન્ટેસ્ટેન્ટ્સના જીવન પર પણ ફોકસ કરીએ છીએ. વ્યૂઅર્સ પણ આના કારણે જોડાય છે.’

નેહાએ આગળ કહ્યું કે, ‘જ્યારે અમે બતાવીએ છીએ કે, કેવી રીતે એક કન્ટેસ્ટેન્ટ ત્યાગ કરીને, લાંબો પ્રવાસ કરીને અહીં સુધી પહોંચ્યો છે, તો લોકો તેનાથી કનેક્ટ થઇ શકે છે. કેમ કે, બધાના જીવનમાં કોઈ એક પોતાનું છે જેને સ્ટ્રગલ કર્યું છે પછી વસ્તુઓ મેળવી છે. અમે બસ આ જ શો પર બતાવી રહ્યા છે કે, આપણા ઘરોમાં શું થાય છે?’

નેહા કક્કર રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર 2’ના મંચ પર જોવા મળી હતી, અહીં જ તે કન્ટેસ્ટેન્ટ માનીના પર્ફોમન્સને જોઇને રડી પડી હતી. માનીએ ‘માહી વે’ ગીત ગયું હતું. શો પર રડવાના કારણે એક વાર ફરી નેહા કક્કર ટ્રોલ્સના નિશાના પર આવી છે. એમ તો આ પહેલી વાર નથી, જ્યારે આવું થયું છે. ‘ઇન્ડિયન આઈડલ 12’મા જજની ભૂમિકા નિભાવતા સમયે પણ નેહા કક્કર અનેક વાર કેમેરાની સામે રડતી જોવા મળી હતી, ત્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેકે તેનો મજાક પણ બનાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.