ડૉન-3માં ન શાહરુખ ન રણવીર સિંહ, બોલિવૂડનો નવો ડૉન બનશે આ એક્ટર

બોલિવુડ એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ ‘ડૉન’ના ત્રીજા ભાગની દર્શકો રાહ જોઈ રહ્યા છે. એક્શન થ્રીલર ફિલ્મ ‘ડૉન 3’ પર ફરહાન અખ્તર લાંબા સમયથી કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન બાદ શાહરુખ ખાન બોલિવુડના આગામી ડૉન બન્યા હતા, પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, ‘ડૉન 3’થી શાહરુખ ખાને દૂરી બનાવી લીધી છે અને આ વખત બોલિવુડને નવો ડૉન મળવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચારો હતા કે ફિલ્મમાં બોલિવુડના બાજીરાવ એટલે કે રણવીર સિંહ નવો ડૉન બનીને પરદા પર ધૂમ મચાવશે, પરંતુ હવે ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન બાદ હવે દર્શકોને ફરહાન અખ્તર ડૉનની ભૂમિકા ભજવતા મોટા પરદા પર નજરે પડી શકે છે. જો કે, આ વાતના અત્યાર સુધી કોઈ પણ સત્તાવાર અનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખત ફિલ્મમાં પોતે ફરહાન અખ્તર લીડ રોલ કરવાના છે. હવે એ તો સમય આવવા પર જ ખબર પડશે કે બોલિવુડના આગામી ડૉનના રૂપમાં કયો એક્ટર દેખાવાનો છે. ‘ડૉન 2’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે પ્રિયંકા ચોપડા લીડ રોલમાં નજરે પડી હતી.

આ બંને  સ્ટારો સાથે લારા દત્તા અને બોમન ઈરાનીએ પણ સ્ક્રીન શેર કરી હતી. ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાનીને જ્યારે ફિલ્મને લઈને સવાલ કરવામાં આવ્યો તો રીતેશે કહ્યું કે, ડિરેક્ટર ફરહાન અખ્તર હાલના દિવસોમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને આગામી સમયમાં તેના પર કામ શરૂ થઈ શકે છે. ફરહાન અખ્તરના કરિયરની વાત કરીએ તો તેના કરિયર માટે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ.’ મહત્ત્વની સાબિત થઈ હતી. આ ફિલ્મથી ફરહાન અખ્તરને રાતોરાત ઓળખ મળી હતી. ‘દિલ ચાહતા હૈ’ માટે ફરહાનને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ફરહાન અખ્તરે પોતાના કરિયરની શરૂઆત ‘રોક ઓન’થી કરી હતી.

આ પહેલી વખત નથી, જ્યારે ‘ડૉન 3’ને લઈને મોટું અપડેટ આવ્યું હોય. બોલિવુડ હંગામાના જૂના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફરહાન અખ્તરે ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ પૂરી કરી લીધી છે. તેને લઈને તેઓ શાહરુખ ખાન પાસ ગયા હતા. શાહરુખ ખાનને કહાની જરાય પસંદ ન આવી. તેણે સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી દીધી. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે, ફરહાને ત્યારબાદ નવી રીતે કહાની પર કામ કરવાની શરૂઆત કરી. ફરહાન ઈચ્છે છે કે ‘ડૉન 3’માં 3 જનરેશનને દેખાડવામાં આવે છે. અમિતાભ, શાહરુખ અને ત્રીજો કોઈ અન્ય એક્ટર. આ ત્રીજો એક્ટર ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવાનું કામ કરતો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.